Sihor
સિહોર ; ઉનાળાની શરૂઆતમાં દૂધના ખરીદ ભાવમાં વધારો કરતી સર્વોત્તમ ડેરી
મિલન કુવાડિયા
- હાલ જે ૭૬૦ કીલો ફેટે ચૂકવાય રહ્યા છે તેમાં રૂ ૨૦ વધારો કરી રૂ, ૭૮૦ કરાયા ; આજથી જ રૂા.20 ના વધારાનો લાભ, પશુપાલકોમાં હર્ષની લાગણી
સિહોર નજીક આવેલ ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને નિયામક મંડળની મિટિંગ મળી હતી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતા હાલ જે 760 કીલોફેટે ચૂકવાય રહ્યા છે તેમાં રૂ. 20 વધારો કરી આજથી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ.780 કરવામાં આવેલ છે. હાલ મોંઘવારીના ભરડાને પહોચી વળવા, ઉનાળાની શરૂઆતમાં પશુદીઠ દૂધ ઉત્પાદકતામાં થયેલ ઘટાડાને ધ્યાનમાં લઇ પશુપાલન વધારે નફાકારક બને તેમજ સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચું આવે તેવા આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે. ભાવનગર જીલ્લામાં શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવામાં સર્વોત્તમ ડેરીનો અમૂલ્ય ફાળો રહેલ છે. સર્વોત્તમ ડેરી દ્વારા ભાવવધારો થતા પશુપાલકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.
હાલ મોંઘવારીના ભરડાને પહોચી વળવા ઉનાળાની શરૂઆતમાં પશુદીઠ દૂધ ઉત્પાદકતામાં થયેલ ઘટાડાને ધ્યાનમાં લઇ પશુપાલન વધારે નફાકારક બને તેમજ સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચું આવે અને જીલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે સર્વોત્તમ દાણ બનાવવાના કાચા માલની ખરીદીમાં કમરતોડ ભાવ વધારો થયેલ છે છતાં પણ સર્વોત્તમ દાણના ભાવમાં બેગ દીઠ ફક્ત ૧૦૦ રૂપિયા વધારવામાં આવ્યા છે સર્વોત્તમ ડેરી દ્વારા ઉનાળાની શરૂઆતમાં દૂધ ના ખરીદભાવમાં ભાવ વધારો કરવામાં આવેલ છે સને ૨૦૨૨ના માર્ચ માસમાં પ્રતિ કીલોફેટે રૂ ૭૨૫ ભાવ હતો જે સને ૨૦૨૩ ના માર્ચ માસમાં પ્રતિ કીલોફેટે રૂ ૭૮૦ કરવામાં આવેલ છે જેથી દૂધ ઉત્પાદકોને ગત વર્ષ કરતા રૂ ૫૫ કીલો ફેટે વધારે મળશે સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના કરકસર અને કુનેહપૂર્વક વહીવટ દ્વારા જીલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન અને આશીર્વાદરૂપ બનેલી સર્વોત્તમ ડેરી આજે દૂધના ખરીદભાવ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહેલ છે . આમ હર હંમેશ ભાવનગર જીલ્લામાં શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવામાં સર્વોત્તમ ડેરીનો અમૂલ્ય ફાળો રહેલ છે સર્વોત્તમ ડેરી દ્વારા ભાવવધારો થતા પશુપાલકોમાં હર્ષની લાગણી પ્રસરી છે