Sihor

સિહોર ; અણઆવડત ને લીધે પાણીનો અભાવ અને અછત ઉભી થાય છે – મહેશભાઈ લાલાણી

Published

on

પવાર

પાણીના દેકારા વચ્ચે પૂર્વ પાલિકા ઉપપ્રમુખ લાલાની આવ્યા મેદાને – રૂબરૂ સ્થળ ઉપર પહોંચી સતાધીશોને ઉઘાડા પાડ્યા

સિહોરમાં એક મહિનો પૂરો થવા આવશે છતાં આ વિકાસ ની વાતો કરતી સરકાર અને તેનું આ રેઢિયાળ તંત્ર સિહોરીજનોના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવી શકી નથી. ત્યારે સિહોર નગરપાલિકા ના માજી ઉપપ્રમુખ રહી ચૂકેલા અને તંત્રની ભૂલને કાન પકડીને દેખાડનાર એવા મહેશભાઈ લાલાની પાણી પ્રશ્નો ના પ્રકાશ પાડવા રૂબરૂ સ્થળ ઉપર પહોંચી ને માહિતી મેળવી હતી.

Sihor; Lack of skills leads to scarcity and lack of water - Maheshbhai Lalani

જેમાં સિહોર શહેર માટે મહી પરીએજનું પાણી જ પુરતુ હોવા છતાં તળાવનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી પીવું પડે છે. તેમજ સિહોર શહેરને સરળતાથી ચાર પાંચ દિવસે પીવાનું પાણી મળી શકે તેમ છે પરંતુ આયોજનનો અભાવ હોવાથી જેતે જવાબદારોની બેદરકારીના કારણે સિહોર શહેરને પીવાનાં પાણીની મુશ્કેલી વધી છે રોજ સિહોર નગરપાલિકામાં મહિલાઓના ટોળાં આવે છે

Sihor; Lack of skills leads to scarcity and lack of water - Maheshbhai Lalani

પરંતુ જવાબદારો પોતાની જવાબદારીમાંથી છટકી જઈને એનકેન પ્રકારે જવાબદારો હાજર રહેતાં નથી. ત્યારે મહેશભાઈ લાલાનીની કોઠા સુજ અને શહેરને આપવામા આવતું પીવાનું પાણી કંઇ રીતે આપી શકાય. એક કરોડથી વધુ ગેલન પાણીનો સ્ટોક થઇ શકે તેવી વ્યવસ્થા છે. તેમજ રોજનું રૂપિયા ૪૫૦૦ હજારનું પાણી વેચાતું લઈએ છીએ. છતા પણ પાણી દસ થી પંદર દિવસે પાણી મળે છે તો પાણી જાય છે ક્યાં એ એક મુજવતો પ્રશ્ન છે.

Advertisement

Sihor; Lack of skills leads to scarcity and lack of water - Maheshbhai Lalani

પાણીની અછત નથી પણ અણઆવડતના કારણે આ બની રહ્યું છે. વાસ્તવિકતા જોઇએ તો ઉનાળાની સીઝનમાં એક જ ઇલેક્ટ્રિક મોટર છે જો એ બંધ પડે તો શું હાલત થાય. બધી ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતાં જોઈ હશે પણ નગરપાલિકાના જવાબદારો કહે છે કે તળાવનું પાણી નથી લેતા પરતું જોઇ શકાય છે કે મહી પરીએજનું ચોખ્ખુ પાણી અને તળાવનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી બંનેની ભેળસેળ કરીને ખોટી રીતે શિહોર શહેરની પ્રજાને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે ત્યારે જોઇએ એક મોટરથી કેટલા દિવસ સિહોરને પાણી મળે છે બાકી બધી મોટરો બંધ હાલતમાં છે તો કહી શકાય કે આયોજનનો અભાવ ખુલ્લો આંખે દેખાઈ રહ્યો છે.

Exit mobile version