Sihor

સિહોર માધવાનંદ આશ્રમ ખાતે શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી શ્રી જયેશભાઈ દવે

Published

on

પવાર

સિહોરના પ્રગટેશ્વર રોડ ખાતે આવેલ માધવાનંદ આશ્રમ ખાતે સ્વામીશ્રી માધવાદાનંદજી મહારાજ,તથા સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ,સ્વામી શ્રી શિવોહંસાગરજી મહારાજ તથા શ્રીમહામંડલેશ્વર સ્વામીશ્રી, શ્રી જગદીશ્વરાનંદજી મહારાજ ના આશીર્વચન સાથે શ્રીમાધવાનંદ મંડળ દ્વારા શ્રી શિવમહાપુરાણ યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રથમ દિવસે તા.૧/૫/૨૩ ના રોજ પોથીયાત્રા ચંદાભાઇ(હાર્દિકભાઈ) વાસણ ભડાર ના નિવાસ સ્થાને ને નીકળી હતી.

Shastri Sri Jayeshbhai Dave presenting the story of Sri Shiva Mahapuran Jnanayajna at Sihore Madhavananda Ashram

આ કથા નું રસપાન તા.૧/૫/૨૦૨૩ વેશાખ સુદ અગિયારસ ના રોજ બપોરના ૩:૩૦ થી ૭ કલાક સુધી કથા જ્ઞાનગંગા પીરસતા વિદ્વાનવક્તા શ્રી શાસ્ત્રી જયેશભાઈ દવે (સિહોર વાળા)ના સુંદર કંઠસ્થ મધુર અવાજ સાથે તેમજ દ્રષ્ટાંતો સાથે શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કરેલ.

Shastri Sri Jayeshbhai Dave presenting the story of Sri Shiva Mahapuran Jnanayajna at Sihore Madhavananda Ashram

આજ રોજ શિવ પાર્વતી ના શુભ વિવાહ પ્રસંગ ને લઈ ખુબજ ધામ ધુમ થી ડી.જે ના તાલ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આ શિવ પાર્વતી લગ્ન પ્રસંગે ભૂત ના પાત્રતા સાથે બાળકો એ આકર્ષક જમાવટ કરી હતી તો મહિલા ઓ દ્વારા રાસ ગરબા ની જમાવટ સાથે મોટી સંખ્યામાં આ શિવ પાર્વતી ના લગ્નમાં જોડાયા હતા. કથા વિરામ તા. ૯/૫/૨૩ વેશાખ વદ ચોથ ને મંગળવાર ના રોજ થશે તેવું જણાવેલ.

Advertisement

Trending

Exit mobile version