Gujarat

“કલા સંસ્કૃતિ પાછળ સાતવીસુ આહીરાણી સતી.”

Published

on

સંકલન:- લેખક, કવિ:- કાર્તિક આર. આહીર (તબીબ 🇮🇳)

વૈશાખ સુદ ચોથ એટલે સાતવીસુ યદુવંશી ક્ષત્રિય આહીરાણીઓને સતીત્વ પ્રાપ્ત થયું અને ધરતીએ જગ્યા આપી. આજ સાતવીસુ માતાજીનાં પાટોત્સવ નિમિત્તે માતાજીનાં ચરણોમાં કોટી કોટી વંદન 🙏

વિક્રમ સંવત ૧૫૧૧ ની આ વાત છે. અખાત્રીજનો સુરજ ઊગ્યો છે, કિરણો જોતાં જ વર્તાય છે કે, આજનાં દિવસનો મહિમા જ અલગ હશે. ગાયનાં દૂધ જેવાં ધોળા લૂગડાં, માથે પાઘડી, કમરે તલવાર, કપાળે તિલક, પગે મોજડી, ગળામાં ઝૂમણા, મોંઢે ખુમારીને એ મોટી મૂછો સાથે આજ આહીરો ગજબ જ લાગે છે. એમાંય આહીરાણીની તો શું વાત કરવી સાક્ષાત યોગમાયા જ વર્તાય છે.

ધીમા ધીમા ગૌમાતા, વાછરડાના અવાજ સંભળાય છે, આજ આહીરો પોતાનાં બળદોને અને ઘોડાઓને તૈયાર કરતાં દેખાય છે. અખાત્રીજે આહીરો અવનવી રમતો રમે છે. ઘોડે સવારી, કુસ્તી, તલવારબાજી વગેરે ક્ષત્રિયોને શોભે એવી રમતો અને શરતો કરે છે.

ગામનાં પાદરમાં તળાવ પાસે આહીરો ભેગાં થયાં છે, અવનવી રમતો ચાલી રહી છે. પોતાનાં રસ મુજબની રમતો સૌ રમી રહ્યાં છે. ખોખો ડાંગર ગામધણી/મુખી ડાયરો જમાવીને બેઠાં છે. કસુંબીના ઘુંટડા ઘૂંટાઈ રહ્યાં છે. ચારણો છંદોની બાકાઝીંક બોલાવે છે. બારોટો બહાદુરોની વાતો કરે છે. જાણે લાગે છે કે, આજ તો વ્રજવાણી ગોકુળને વૃંદાવન બની ગયું છે. બસ ખામી માત્ર કાનુડાની જ હતી.

Advertisement

ઢોલી રુપે આવેલ કાનુડા એ પોતાનાં ઢોલને ડાંડી મારી પણ આજ એની ડાંડીમાં અલગ જ અવાજ છે. ઢોલનો અવાજ પડતાં જ આહીરાણીઓ ભાન ભૂલે છે. હેતાળ હ્દય વાળી, નમણી એ નારાયણી, વિવેકથી વર્તતી, સંસ્કારોના એવાં સિંચન, વાણીથી જ વરદાન વહે, ગોકુળની ગલીઓમાં રમતી એ ગોપી જેવી બની આજ આહીરની બાળાઓ, આહીરાણી રાસમાં મગ્ન થઈ છે. અક્રૂરજી કાનુડાને મથુરા લેવાં માટે આવ્યાં ત્યારે કૃષ્ણે ગોપીઓને વચન આપ્યું હતું કે, જે ચોથો રાસ બાકી છે એ પુર્ણ કરવા કાનુડો પોતાનાં સમયે જરુર આવશે અને આજે વ્રજવાણી માં કાનુડો આવ્યો છે આહીરાણીઓ સાથે ચોથો રાસ પૂરો કરવા.

ઢોલી પોતાની ડાંડી રોક્તો નથી અને આહીરાણી પોતાનાં પગ. જેમ ધરી પર ધાણ ફરે એમ આજે આહીરાણી ઢોલી બની આવેલ કાનુડા ફરતે રાસ રમે છે. તળાવનો કિનારો, ગામનો છેડો ને એમાંજ આજ આહીરાણીનો અદભૂત રાસ જોઈને આહીરો પણ દંભી ગયાં છે. શું નજારો હશે. ઢોલીના તાલે જ એક સાથે હાથ પડે છે અને એક સાથે જ પગ ઉપડે છે. આવો રાસ અને આવી ઘટના તો કાનુડાનાં પહેલાં ત્રણ રાસમાં પણ નહીં હોય, એવો નજારો છે આજે.

આહીરાણીઓનો રાસ‌ ચાલે છે એની બીજી બાજુ પારકરના મુઘલો પાધરીયા રાજપૂતના ગૌધણ વાળે છે. વાગડ વિસ્તારનાં માલ ઢોર શ્રેષ્ઠ ગુણવત્તા વાળાં છે,‌ જેને વેચવાથી સારી રકમ મળી શકે છે અને માલામાલ પણ બની શકાય. એમાંય ત્યારે પારકરના મુઘલોનુ જોર વધારે હતું એટલે હલ્કી વિચારધારા સાથે મુઘલો શસ્ત્રોથી સજ્જ થઈ ધણ(ગાયો-ભેંસોનું ઝુંડ) વાળે છે અને એની જાણ‌ આહીરોને થાય છે. એક બાજુ મુઘલો અને બીજી બાજુ પાધરીયા રાજપૂત, આહીરોનું યુદ્ધ થાય છે, હથિયારોની બાકાઝીંક બોલે છે, જાણે લોહીની હોળી રમાતી હોય એમ આહીરો અને રાજપૂતો મુઘલો સામે લડે છે. આહીરો ગૌ, નારી, માતૃભૂમિ અને બ્રાહ્મણોની રક્ષા કાજે તો મરી મિટે એવી કોમ છે. આહીરો અને રાજપૂતોની વીરતા અને ખુમારી સામે મુઘલો ઘુંટણ ટેક્વે છે અને ભાગી જાય છે. આ યુદ્ધમાં ઘણાં આહીરો કામ આવે છે અને દુઃખનાં વાદળો ઘેરાઈ જાય છે. બીજી બાજુ આહીરાણીઓને આ ઘટનાની જાણ જ નથી. એ તો ઢોલી રૂપી કાનુડા સાથે રાસ રમવામાં જ મગ્ન છે.

નાતનાં મુખી, ગામધણી ખોખા ડાંગરને શુરાતન ચડે છે અને રાસ રમતી દિકરીઓ પાસે આવે છે અને રાસ‌ રોકી સમગ્ર ઘટના જણાવે છે અને કહે છે કે, “તમારાં સગપણ થયેલ જુવાનને ઓળખી એમનાં કપાળે તિલક કરવા કહે છે.”

દિકરીઓ દ્વારકાધીશ અને સુર્યનારાયણને પ્રાર્થના કરે છે અને કહે છે, “જો અમે સગપણ થયેલ જુવાન સિવાય કોઈ વિશે ક્યારેય વિચાર્યું ન હોય અને અમારા સગપણ થયેલ જુવાન સિવાય બીજા બધાં પુરુષો અમારે ભાઈ અને બાપ સમાન હોય તો હે દ્વારકાધીશ અમને સત દેજે અને અમને ધરતીમાં માર્ગ દેજે.” દ્વારકાધીશ આહીરાણીઓની પ્રાર્થના સ્વિકારે છે.

Advertisement

વૈશાખ સુદ ચોથના વહેલી સવારમાં ઢોલીની ડાંડી બંધ થાય છે ને ઢોલી સ્વરૂપે આવેલ કાનુડો અદ્રશ્ય થાય છે અને સાતવીસુ આહીરાણીઓને પણ સતીત્વ પ્રાપ્ત થાય છે અને એકી સાથે સાતવીસુ એટલે એકસોને ચાલીસ (૧૪૦) આહીરાણીઓ પણ ધરતી માર્ગ દેતાં ધરતીમાં સમાઈ છે.

અંતે ગામધણી/મુખી ખોખો ડાંગર દિકરીઓને દૂધની ધારાવાડી આપી હાલી નીકળે છે. એ દિવસથી આહીરો ત્યાંના તળાવનું પાણી અગરાજ કરે છે અને એ ધરતી પર આવી કરૂણ ઘટના બનતાં આહીરો એ ધરતી મુકી હાલ્યા જાય છે. એ પછી આહીરો એ દેવીસર (ખેરાઈ) ગામ‌ વસાવ્યું.

હાલ વ્રજવાણીમાં સાતવીસુ આહીરાણી માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. કહેવાય છે ને કે, યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ કૃષ્ણનાં વંશજો છે અને આ સમાજ રોટલો અને ઓટલા માટે જાણીતો છે. આજ પણ વ્રજવાણીમાં રોટલો અને ઓટલો ચોવીસ કલાક ચાલું છે. આહીર સમાજ પોતાની પરંપરા, પ્રતિષ્ઠા, પહેરવેશને ભુલ્યો નથી.

"Satvisu Ahirani Sati Behind Art Culture."

સતી થયેલ તમામ આહીરાણીઓના નામ અટક અને પિતાજીનાં નામ સાથે નીચે મુજબ છે.

૧). નાગલબાઈ રાવત ડાંગરની દિકરી. (ખોખા ડાંગરની પૌત્રી)
૨). હરીયાબાઈ કુમાર વરચંડ દિકરી.
૩). રાણીબાઈ અરજણ વજા મકવાણાની દિકરી.
૪). હરીયાબાઈ ગોરા વીરમ મકવાણાની દિકરી.
૫). રૂપાબાઈ ધ્રાંગા અખાની દિકરી.
૬). સવીબાઈ અજુ માતાની દિકરી.
૭). સતીબાઈ અખા કુવાડિયાની દિકરી.
૮). શાન્તીબાઈ ગોરા હુંબલની દિકરી.
૯). રૂપાબાઈ અખા અરજણ ચાવડાની દિકરી.
૧૦). જીવતીબાઈ અજુ મેરામણ ઉદરીયાની દિકરી.
૧૧). દેવીબાઈ અજા ઢીલાની દિકરી.
૧૨). જીવીબાઈ અરજણ ગાગલની દિકરી.
૧૩). રાણીબાઈ વિરમ ઝાંટીયાની દિકરી.
૧૪). રામીબાઈ અખા વિરમ બકુતરાની દિકરી.
૧૫). દેવીબાઈ મેરામ અજા બતાની દિકરી.
૧૬). અમીબાઈ જગમાલ કાંસડની દિકરી.
૧૭). હિરિબાઈ વિજાણંદ અખા કાંસડની દિકરી.
૧૮). જમણાબાઈ અજા આણંદ વરચંડની દિકરી.
૧૯). હરીયાબાઈ અખા ઢોલા એવારાની દિકરી.
૨૦). ઝીણીબાઈ વિરમ વજા નેરાની દિકરી.
૨૧). લક્ષ્મીબાઈ વાલા વિરમ બરબસીયાની દિકરી.
૨૨). લખમીબાઈ વાલા અરજણ વારોતરાની દિકરી
૨૩). આણબાઈ ઢોલા કરમણ સેગલીયાની દિકરી,
૨૪). જમણાબાઈ વજા ઢીલાની દિકરી.
૨૫). સેજીબાઈ વજા અખા ચાડની દિકરી.
૨૬). રૂપાંબાઈ વજા કેરાસીયાની દિકરી.
૨૭). ખીમાબાઈ દેવરાજ બકુતરાની દિકરી.
૨૮). ઝીણીબાઈ કાના મેડા મકવાણાની દિકરી.
૨૯). ૨ણકાબાઈ વીરમ ઢોલા સોનારાની દિકરી.
૩૦). જાંબુંવતીબાઈ સણગાર ઢોલા મરંઢની દિકરી.
૩૧). જીવણીબાઈ અજા વીરભાણા કાવત્રાની દિકરી.
૩૨). શવીબાઈ અખા જોગસુર કુવાડિયાની દિકરી.
૩૩). આણંદુબાઈ ઢોલા કરમણ સેગલીયાની દિકરી.
૩૪). લીરલબાઈ મેરામ બતાની દિકરી.
૩૫). કમુબાઈ વિરમદે વજા માતાની દિકરી.
૩૬). જીજાબાઈ અખા આણંદ ડાંગરની દિકરી.
૩૭). સવિતાબાઈ જીવા જોગત વીઝાંની દિકરી.
૩૮). ઝીણલબાઈ આણદા મેહૂર મણવરની દિકરી.
૩૯). મીણદેબાઈ વિજાણંદ ઝેરની દિકરી.
૪૦). રામસરીબાઈ આણંદ દુદા ખુંગલાની દિકરી.
૪૧). જેઠીબાઈ ભારમલ ભીમા નેરાની દિકરી.
૪૨). વીણાબાઈ વિરભાણ લોખીલની દિકરી.
૪૩). આણંદુબાઈ આલા જીવણ મરંઢની દિકરી.
૪૪). જોગસરીબાઈ વેજાણંદ કોઠીવારની દિકરી.
૪૫). જેઠીબાઈ ભારમલ સુરદેવ ડાંગરની દિકરી.
૪૬). વીણાબાઈ હરદેવ કરમણ છાંગાની દિકરી.
૪૭). હાહલબાઈ મેગરા રાવત કાંસડની દિકરી.
૪૮). સરદેબાઈ વીરમ ઝળુની દિકરી.
૪૯). રામસરીબાઈ દેવસુર મેરામ લોખીલની દિકરી.
૫૦). સીતાબાઈ નરહર જોગસુર બકુત્રાની દિકરી.
૫૧). સવિતાબાઈ સણાંગર જોગત વરચંડની દિકરી.
૫૨). મીણદેબાઈ વિજાણંદ બાલાસરાની દિકરી.
૫૩). અજનુંબાઈ વીરમ ડોસા હુંબલની દિકરી.
૫૪). અજનુંબાઈ ઝીણા વજા મ્યાત્રાની દિકરી.
૫૫). સીતલબાઈ હરભમ વજા ઝાંટીયાની દિકરી.
૫૬). જમણાંબાઈ સુરદેવ કેવર વિરડાની દિકરી.
૫૭). સરીતાબાઈ વાલા વીરમ બોરીચાની દિકરી.
૫૮). રાણીબાઈ જીવા જોગવત જીલડીયાની દિકરી.
૫૯). રામીબાઈ મેસુર મેગરા બરારીયાની દિકરી.
૬૦). રામકુંવરબાઈ એહસરાજ પરબત લઈયાની દિકરી.
૬૧). કસતુરબાઈ જોગસર છૈયાની દિકરી.
૬૨). નાગમતીબાઈ આંબા દેવસુર મ્યાત્રાની દિકરી.
૬૩). જનકબાઈ જોગવત જોગા બતાની દિકરી.
૬૪). રાણીબાઈ ભારમલ ભીમા વારોત્રાની દિકરી.
૬૫). વીણાબાઈ વિરભાણ ભીમા ચાવડાની દિકરી.
૬૬). જોગતીબાઈ જીવણ જોગસુર ડવની દિકરી.
૬૭). કંકુબાઈ જીવા સુરા છાંગાની દિકરી.
૬૮). જનકબાઈ જોગવત ઢોલા વરચંડની દિકરી.
૬૯). સવીબાઈ જયદેવ અભેદ ચાવડા હેઠવાળીયાની દિકરી.
૭૦). ધનુંબાઈ વરજાંગ દેવસુર બોરીચાની દિકરી.
૭૧). વેજીબાઈ માનસંગ સુંદરસંગ બરાડીયાની દિકરી.
૭૨). કનકબાઈ જોધા મેગરા બરારીયાની દિકરી.
૭૩). નાવીબાઈ કેહરા રાવત કુવાડિયાની દિકરી.
૭૪). નાગમતીબાઈ હરઘોળ મકવાણાની દિકરી.
૭૫). રામબાઈ અખા વીરમ બકુત્રાની દિકરી.
૭૬). વીરલબાઈ મેપા મઘા ચાવડાની દિકરી.
૭૭). મીણંદેબાઈ વીજાણંદ ડાંગરની દિકરી.
૭૮). નરસરીબાઈ વિરભાણ કેરાસીયાની દિકરી.
૭૯). રૂપસરીબાઈ ભારમલ દેવા માતાની દિકરી.
૮૦). કસ્તુરીબાઈ જીવણ જેઠા વરચંડની દિકરી.
૮૧). સાવિત્રીબાઈ આલા ખેંગાર મરંઢની દિકરી
૮૨). અજનુંબાઈ કરમણ સેગલીયાની દિકરી.
૮૩). સવિતાબાઈ અખા જોગસુર કાંસડની દિકરી
૮૪). ત્રિવેણીબાઈ મેરામણ જગા બાલાસરાની દિકરી.
૮૫). લડાઈબાઈ ખીમા મેણંદ ખુંગલાની દિકરી.
૮૬). વીણાબાઈ જીવા જોગત બકુત્રાની દિકરી.
૮૭). જોગતીબાઈ રૂપા મેસુર કાવત્રાની દિકરી.
૮૮). ઝીણલબાઈ સણગાર કેહરા બરબસીયાની દિકરી.
૮૯). વીરલબાઈ વિરભાણ ભારમલ બાલાસરાની દિકરી
૯૦). લીરીબાઈ વંકા હરભંમ સેગલીયાની દિકરી.
૯૧). મીણાંબાઈ હરઘોળ ખીમા બોરીચાની દિકરી.
૯૨). જીવતીબાઈ નરગોસ મેપા ઝાંટીયાની દિકરી.
૯૩). કસ્તુરીબાઈ જીવણ જોગસુર કાચડની દિકરી.
૯૪). ગૌરીબાઈ ભારમલ ભોની ઢિલાની દિકરી.
૯૫). રેણુકાબાઈ ગંગદાસ દેવા વરચંદની દિકરી.
૯૬). માનસરીબાઈ ઉકા દેસુર મ્યાત્રાની દિકરી.
૯૭). જેઠીબાઈ ભોજા કરમણ મકવાણાની દિકરી.
૯૮). વિરલબાઈ કેહરા મુલા (શાખ મળેલ નથી)
૯૯). અમરબાઈ વંકા દેસુર ચાવડાની દિકરી.
૧૦૦). વીરબાઈ કરણા જોધા એવારાની દિકરી.
૧૦૧). જીજલબાઈ વેરાત વરૂણ બાલાસરાની દિકરી.
૧૦૨). જીવણીબાઈ કારા ગોરા વિઝાંની દિકરી.
૧૦૩). અમુંલાબાઈ કરશન મેપા ઢિલાની દિકરી.
૧૦૪). ઝીણીબાઈ જોગા ભગત સોનારાની દિકરી.
૧૦૫). લાખીબાઈ ભોજા ઉકા ચાવડાની દિકરી.
૧૦૬). માનસરીબાઈ ગાંગાં દેવા ઝાંટીયાની દિકરી.
૧૦૭). દેવીબાઈ કલા શામળીયા ગાગલની દિકરી.
૧૦૮). વીરાંગનાબાઈ હરભમ શામળા ડાંગરની દિકરી.
૧૦૯). સનીબાઈ મેકરણ ભોજરાજ કુવાડિયાની દિકરી.
૧૧૦). માલપતીબાઈ કેહરા રણછોડ વરચંડની દિકરી.
૧૧૧). વીણાંબાઈ અખેરાજ ભુપત બાલાસરાની દિકરી.
૧૧૨). સુનંદાબાઈ દેવકરણ ખીમડા છાંગાની દિકરી.
૧૧૩). સખીબાઈ રાવત મેણંદ ડાંગરની દિકરી.
૧૧૪). દેવલબાઈ અભેદ દેવાયત નેરા ગોરાની દિકરી.
૧૧૫). સતીચણામણીબાઈ અમરદેવ મુળુ બકુત્રાની દિકરી.
૧૧૬). રૂક્ષ્મણીબાઈ દેવાયત પબા માતાની દિકરી.
૧૧૭). સખેસરીબાઈ મુળુ રાવત ચાડની દિકરી.
૧૧૮). રીયલબાઈ નેહુસ સોભમ મ્યાત્રાની દિકરી.
૧૧૯). રૂપલબાઈ નાગદેવ સૌરભ ચાડની દિકરી,
૧૨૦). ઝીણેસરીબાઈ શામળા ભોજરાજ ડાંગરની દિકરી.
૧૨૧). વીનેસરીબાઈ માણેકદેવ વિશાળદેવ ડાંગરની દિકરી.
૧૨૨). હિરેલબાઈ દેવસુર સુખદેવ સોનારાની દિકરી.
૧૨૩). લખનબાઈ વેલસર વેણું ગાગલની દિકરી.
૧૨૪). જાગનુબાઈ અર્ખરાજ ભુપત બતાની દિકરી.
૧૨૫). ઝીણેસરીબાઈ મોરભેદ ખરગોસ વીઝાંની દિકરી.
૧૨૬). વીમલબાઈ ગોરા મેણંદ કસડની દિકરી.
૧૨૭). જગરીબાઈ નરહરી દેવાંગ ડાંગરની દિકરી.
૧૨૮). સુનગાબાઈ દેવાંગ પરબત છાંગાની દિકરી.
૧૨૯). હિરલબાઈ દેવસુર હરભમ ડાંગરની દિકરી.
૧૩૦). ધનસેરીબાઈ મેકરણ હરઘોડ ચાડની દિકરી.
૧૩૧). વરૂણબાઇ કેવરદે તુહાર એવારાની દિકરી.
૧૩૨). માનસરીબાઈ કુરૂગમ રાવત ચાવડાની દિકરી.
૧૩૩). મનહરીબાઈ સેત્રુજાન અમર મ્યાત્રાની દિકરી.
૧૩૪). હવનેસરીબાઈ કરણદેવ ભેરદેવ ખુંગલાની દિકરી.
૧૩૫). રૂપલસરીબાઈ અભેદ રામદે બરાળીયાની દિકરી.
૧૩૬). કનકસેરીબાઈ હરસીધે નવસીધે વારોત્રાની દિકરી.
૧૩૭). કેસરબાઈ નરભેદ નરગોસ મણવરની દિકરી.
૧૩૮). લીરલબાઈ ખીમદે મેણદે બતાની દિકરી.
૧૩૯). ધનબાઈ મેરામ અરજણ બરબસીયાની દિકરી.
૧૪૦). ઝરણબાઈ અખા વીરમ બકુત્રાની દિકરી.

Advertisement

નોંધ:- વ્રજવાણી એ કોઈ લોકવાર્તા નથી, એ બનેલ એક સત્ય ઘટના છે. લોકો દ્વારા બનાવેલ વાતોમાં એનો સમાવેશ ન કરવો જોઈએ. ઘણાં બધાં લેખકોએ પોતપોતાની મરજી મુજબ વ્રજવાણીનો ઈતિહાસ લખેલ છે. પરંતુ અહીં દર્શાવેલ ઈતિહાસ બારોટ ભીમજીભાઈ ભુરાભાઈ ચોબારીવાળાના ચોપડાં માંથી‌ સારાંશ અને આહીર ગૌરવ ગાથા ભાગ- ૨ માંથી લીધેલ છે. જે પુરાવા સાથે છે.

Exit mobile version