Gujarat

શનિવારે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ તથા પરશુરામ જયંતિ : સૌભાગ્ય યોગ ઉત્તમ છે

Published

on

દેવરાજ

શનીવારે વણજોયા મુહુર્તનો દિવસ અખાત્રીજ તથા ભગવાન પરશુરામ જયંતિ આ દિવસે સૌભાગ્ય યોગ ઉત્તમ છે. વૈશાખ સુદ બીજ ને શનીવાર તા. 22.4.23 ના રોજ સવાર ના 7.48 બીજ તિથિ છે ત્યારબાદ આખો દિવસ રાત્રી ત્રીજ તીથી છે આથી દરેક પંચાંગ પ્રમાણે તથા જ્યોતિષના નિયમ પ્રમાણે શનિવારે અખાત્રીજ મનાવવામા આવશે તથા રવિવારે ગણેશ ચોથ મનાવવામાં આવશે તથા અખાત્રીજના દિવસે સવારે 9.27 થી આખો દિવસ રાત્રી સૌભાગ્ય નામનો યોગ પણ ઉત્તમ ફળ આપનાર છે. વર્ષમાં ચાર વણજોયા મુહુર્તના શ્રેષ્ઠ દિવસો ગણવામાં આવે છે, જે બેસતુ વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા છે . આમ અખાત્રીજનો દિવસ વણજોયા મુહૂર્તનો હોવાથી આ દિવસે કરેલા કોઇપણ શુભકાર્યનું ફળ અખંડ રહે છે. આ દિવસે જપ, તપ, દાન કરવાથી તેના પુણ્યનો નાસ થતો નથી અને જીવનમાં શાંતિ મળે છે. આ દિવસે નવું વાહનની ખરીદી, સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવી, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી કરવી, જમીન – મકાન વાહન ખરીદવા ઉત્તમ ફળદાયક છે. વાસ્તુ, નવચંડી હવન, લગ્ન, સગાઇ, ખાતમુહુર્ત, નવી દુકાનનુ મુહુર્ત કરવું. નવા વ્યાપારની શરૂઆત કરવી . જેવા દરેક શુભ કાર્યો માટે આ દિવસે કોઇપણ ગ્રહબળ તથા ચંદ્રબળ જવાની જરૂર રહેતી નથી. અખાત્રીજના દિવસે પાણી ભરેલ ઘડાનું દાન દેવું તથા ગયો ને ઘાસ નાખવું ઉત્તમ ફળ આપશે. અખાત્રીજના દિવસે કરેલ જપ, દાનનુ ફળ આજીવન મળે છે.

Saturday Vanjoya Muhurta Day Akhatrij and Parashuram Jayanti: Saubhagya Yoga is excellent

તથા આ દિવસે શ્રી યંત્ર ઉપર સાકરવાળા દૂધથી ૐ મહાલક્ષ્મી નમ: અથવા તો શ્રી સૂક્તના પાઠ બોલતા બોલતા અભિષેક કરવો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે. લગ્નના મુહૂર્તની શરૂઆત બીજી મે થી થશે પરંતુ અખાત્રીજનો દિવસ વણઝોયા મુહુર્તનો દિવસ હોવાથી આ દિવસે ગ્રહબળ રાશિબળ જોવાની જરૂર રહેતી નથી આથી ગુરુ ગ્રહનો અસ્ત હોવા છતાં પણ આ દિવસે લગ્ન થઈ શકશે. અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનુ પ્રાગટ્ય થયું હતું . આથી ભગવાન પરશુરામની પૂજા કરવી ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે અને સપ્તા ચિરંજીવીમાંથી એક છે. આ દિવસે ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો. અખાત્રીજના દિવસથી ચારધામ ની યાત્રાનો પ્રારંભ થશે. આખત્રીજનો આખો દિવસ દરેક શુભ કાર્ય માટે સારો છે. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુનુ જળથી પૂજન કરવું શાલીગ્રામ ઉપર ચોખ્ખું જળ ચડાવીને પૂજન કરવું તવા ભગવાન સત્યનારાયણની કથા કરવાથી જીવનમાં શાંતિ મળશે તથા આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો પણ ઉત્તમ પુણ્ય કારક ગણાય છે.

Exit mobile version