Sihor
સિહોર ખાતે રામદેવપીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા ત્રીદિવસીય મહોત્સવનો આજથી પ્રારંભ
દેવરાજ
હવન, યજ્ઞ, ડાક ડમરુ, આખ્યાન સહિતના કાર્યક્રમો યોજશે, આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો.
સિહોરના હનુમાન ધારા પાસે આવેલ રામદેવપીર મિત્ર મંડળ દ્વારા રામદેવપીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આજે પ્રથમ દિવસે રામદેવપીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શોભાયાત્રા અને ૧૧ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સિહોરના હનુમાનધારા પાસે આવેલ રામદેવપીર યોગ મંડળ દ્વારા રામદેવપીર બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજના પ્રથમ દિવસે ૧૧ કુડી યજ્ઞ તેમજ રામદેવપીર બાપાની વાસતે ગાસ્તે ડીજેના તાલે શોભાયાત્રા.
સિહોરના હનુમાન ધારા વિસ્તાર બહુચરાજી માતાજીના મંદિરના ચોકથી લઈને સુરકાના દરવાજા કંસારી બજાર થઈને રામાપીર મંદિરના નિજ મંદિરે આ શોભાયાત્રા પહોંચી હતી અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
અને આ શોભાયાત્રામાં ભગવાન રામાપીર બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગૌતમેશ્વર મંદિરના ઓમ ચંદન બાપુ કરકોલીયા રામાપીર મંદિરના મહંત પૂજારી રઘુ બાપુ વગેરે પધાર્યા હતા.
અને આજરોજ તે દિવસ રામાપીર મહોત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિવસે રામદેવપીર બાપા ની શોભાયાત્રા અને રામદેવપીર બાપાનું આખ્યાન યોજાયો હતું આ ત્રણ દિવસીય મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં દર્શન લાભ લેશે