Sihor
રેલવે ફાટક બનશે ટ્રાફીક મુક્ત ; સિહોર નવાગામ ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી શરૂ થશે
Pvar
- ટ્રકો મોઢે માલસામાનની આવક શરૂ, બે દિવસમાં અંડરબ્રિજની કામગીરી શરૂ થશે, ટ્રાફિક હળવો થશે, નાના ચાલકોને મળશે ટ્રાફીક મુક્તિ
સિહોરથી અમદાવાદ રોડ અને નેસડા રેલ્વે ક્રોસીંગ ફાટકથી લોકા તોબા પોકારી ઉઠયા છે. દિવસભર અનેક વાર બંધ થતું આ ફાટકથી લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહયા છે. આ ફાટક પર અંડરબ્રિજ અને ઓવરબ્રીજ બનાવવા પ્રબળ માંગ ઉઠવા પામેલ જેને લઈ નવાગામ ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી શરૂ થઈ રહી છે.
જેને લઈ લોકોમાં રાહત ઉભી થનાર છે. સિહોર થી નેસડા ફાટક તરીકે ઓળખાતુ ક્રોસીંગ સિહોરની મધ્યમાં હોવાથી ક્રોસીંગ પછી સિહોરની અનેક સોસાયટી, અને શાળાઓ આવેલ હોય આ ક્રોંસીંગ શહેરની મધ્યમાં હોવાથી 24 કલાકમાં અનેક વખત ફાટક બંધ થતુ હોય અને જયારે સામ સામે ટ્રેનનું ક્રોસીંગ હોય ત્યા આ ફાટક વધુ સમય બંધ રહે છે આ ખુબ ગંભીર પ્રશ્ન હતો. અહીંથી પસાર થતા કેટલાક ગામડાઓનું હટાણું સિહોર છે અને આ બધા ગામના લોકોને આ રોડ પરથી પસાર થવું પડે છે.
ત્યારે આ રેલ્વે ફાટક બંધ હોય ત્યારે આ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ ફાટક પર અંડરબ્રિજ કે ઓવરબ્રીજ બનાવવાની તાતી આવશ્યકતા હતી અગાઉ અનેક રજુઆત બાદ આખરે સિહોર નવાગામ ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી શરૂ થનાર છે. માલસામાનની આવક શરૂ થઈ ગઈ છે આગામી એકાદ બે દિવસમાં અહીં કામગીરી શરૂ કરવામાં આવશે અંડરબ્રિજ બનવાના કારણે લોકોને અને ખાસ કરી નાના વાહન ચાલકોને રાહત થનાર છે