Sihor

સિહોર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ માતૃ શક્તિ દુર્ગાવાહીની ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

Published

on

દેવરાજ

સિહોર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ માતૃશક્તિ દુર્ગાવાહિની ગોષ્ઠિ કાર્યક્રમ ગઈકાલે રવિવારે કોળી જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૩૦ જેટલા માતૃશક્તિઓ અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી, કાર્યક્રમમાં શિવાનંદ આશ્રમના પ.પૂજય સાધ્વીજી હંસાગીરી માતાજીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ ઉપરાંત અધ્યક્ષ સ્થાને નાયબ મામલતદાર કોમલબેન ચૌહાણ, અતિથિ વિશેષ ગાયનેકોલોજીસ્ટ ડૉ.ઈલાબેન જાની, મહિલા પત્રકાર પલ્લવી મહેતા, માતૃશકિત ઉષાબેન પટેલ, ગોપીમંડળના ઈન્દુબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા

prakhand-matru-shakti-durgavahi-gosthi-program-was-organized-by-sihore-vishwa-hindu-parishad

સૌરાષ્ટ્ર માતૃશક્તિ પ્રાંત ટીમ અને ભાવનગર ગ્રામ્ય જિલ્લા સયોજિકા જસ્મીનબેન વેગડ વકતા તરીકે હાજરી આપી હતી ઓમકાર, એકાત્મકતા મંત્ર, વિજય મહામંત્ર, દીપપ્રજવલન મંત્રી, સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ઉપસ્થિત અધિકારીઓનો પરિચય અને શાબ્દિક સ્વાગત સાથે થયેલ જસ્મીન બેન વેગડે વિશ્વ હિન્દુ પરિષદનો પરિચય, વિવિધ આયામોનો પરિચય તેમજ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે ન‌ રંગાતા ભારતીય ભવ્ય સંસ્કૃતિને આત્મસાત કરી માત્તૃ શક્તિને અને દીકરીઓને રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃત બનવા આહ્વાન કર્યું હતું.

prakhand-matru-shakti-durgavahi-gosthi-program-was-organized-by-sihore-vishwa-hindu-parishad

આવનારા સમયમાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના અભ્યાસવર્ગમા સહભાગી બની સંસ્કૃતિ અને ધર્મરક્ષક બનવા પર ભાર મુક્યો હતો. એડવોકેટ ઈલાબેન જાની અને પલ્લવીબેન મહેતાએ પ્રસંગોચિત વાત કરી હતી અધ્યક્ષ શ્રી કોમલબેન ચૌહાણે પ્રંસગોચિત વક્તવ્ય આપ્યું હતું, પ.પૂ હંસાગીરી માતાજીએ આશીર્વચન પાઠવ્યા હતા, કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થામા સિહોર વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડના કાર્યકર્તા બંધુઓએ સહકાર પુરો પાડ્યો હતો

Advertisement

Exit mobile version