Sihor
સિહોર વળાવડ ખાતે શાળા પ્રવેશોત્સવનો કરાવતા પીઆઇ ભરવાડ, પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ અને આરોગ્ય કેમ્પ યોજાયો
પવાર
ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની
આજનો વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે, તેની યોગ્ય કેળવણી જરુરી : પીઆઇ ભરવાડ
સમગ્ર ગુજરાતમાં સારા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે સિહોરના વળાવડ શાળા ખાતે પીઆઇ શ્રી એચસી ભરવાડની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તબકકે પીઆઇ ભરવાડએ જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થીએ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેમજ શાળાએ નિયમિત આવે તે જરૂરી છે આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવારનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓ સ્માર્ટ શાળાઓ બની રહી છે અને સરકાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રયત્નો કરી રહી છે. કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોને પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાના ભૂલકાઓ ગુજરાતી ગીતો પર ગરબા કર્યા હતા. પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ અને આરોગ્ય કેમ્પ કાર્યક્રમમાં પીઆઇ ભરવાડ, સરપંચ સુરાભાઈ કરમટીયા આચાર્ય પદમાબેન ,તેમજ દાતાશ્રીઓ, મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ વડીલો માતાઓ બહેનો સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા