Palitana

પાલિતાણા-સોનગઢ રોડ પર ઓવર બ્રિજના કામને લઇ રાહદારી પરેશાન

Published

on

દેવરાજ

  • લોકોની હાલાકી સામે માર્ગ-મકાન વિભાગ નિષ્ક્રિય, જ્યાં ડાયવર્ઝન આપી દેવાયુ છે ત્યાં પણ રસ્તો ચાલવા લાયક નથી, અન્ય વૈકલ્પીક વ્યવસ્થા જરૂરી

પાલિતાણા સોનગઢ વચ્ચે રેલવે ફાટક પાસે ઓવરબ્રીજનું કામ શરૂ કરાયું છે. જ્યારે પતરા નાખી બાજુના રોડ પર ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ રસ્તો પણ અતિશય બિસ્માર હાલતમાં હોય અકસ્માતની ભીતિ સર્જાઇ છે. ત્યારે રોડ રીપેરીંગ અથવા નવુ ડાયવર્ઝન આપવા માંગણી ઉઠવા પામી છે.પાલીતાણા સોનગઢ હાઇવે રોડ ઉપર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજનું કામ રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું અને રોડની વચ્ચે કામ ચાલુ હોવાથી બંને સાઈડ પાર્ટીશન મારવામાં આવેલ છે પાર્ટીશન ની બાજુમાં રોડની બંને સાઈડ ઉપર ડાઇવર્જન આપવામાં આવ્યું છે

pedestrians-are-worried-about-the-work-of-over-bridge-on-palitana-songarh-road

પરંતુ બંને સાઈડમાં ફક્ત મેટલ પાથરવામાં આવી છે તેની ઉપર ડામર કે અન્ય કોઈ મટીરીયલ વાદરા વગર ડાઈવરજન આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત રોડની સાઈડ જે ખુલ્લી છે તેની ઉપર પુલ માટે વપરાતા વાહનોથી ડામર તૂટીને મોટા ખાડા ખાબોચિયા થઈ ગયા છે તેને રીપેરીંગ તેમજ વધારેલ રોડ સાઈડની મેટલ ઉપર ડામર પાથરવામાં આવેલ નથી જેના લીધે ભાવનગર તરફથી અને પાલીતાણા થી ભાવનગર તરફ જતા વાહનો તેમજ રાહદારીઓ ચાલવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે. જેની રાજ્યની કચેરી કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ દરકારી લેવામાં આવી નથી આ ઉપરાંત બીજા નવા કોઈ પ્રશ્નો ન બને તે માટે ડેમ દ્વારા જાહેરનામું બહાર પાડીને કહેવામાં આવ્યું કે આ રોડ ઉપર કોઈએ ચાલવું નહીં પરંતુ આ રોડ સિવાય ભાવનગર થી આવતા વાહનો અને ભાવનગર તરફ જતા વાહનોને અન્ય કોઈ માર્ગ જ ન હોવાથી ત્યાંથી ચાલવું મજબૂરી અને ફરજિયાત છે તો આ બાબતે જિલ્લાની માર્ગ અને મકાન કચેરી દ્વારા કોન્ટ્રાક્ટર ને ડાઈવરજન માટે યોગ્ય રસ્તો ચાલુ કરી આપીને તેના ઉપર ડામર  પાથરી નિયમ મુજબ કામ કરવા આદેશ આપવામાં આવે તેવી વ્યાપક માંગણી ઉઠવા પામી છે.

Exit mobile version