Sihor
વાલી મિટિંગ એટલે વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ : સિહોર વિદ્યામંજરી જ્ઞાન પીઠ સ્કૂલ ખાતે વાલી મિટિંગ યોજાઈ
દેવરાજ
શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. ૧.વાલી ૨. વિદ્યાર્થી ૩. શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે.
સમય બદલાયો વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા.
હવે શિક્ષણ માત્ર સંતાનનું નહી પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે શાળાઓ સાથે કુટુંબ(સમાજ) નું જોડાણ આજના સમયનો નવો વિચાર છે. બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને નિર્ણયો લે તે ખુબ જરૂરી છે. શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો હોય છે.
જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે. વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તેજ હોવી જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે.
જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતાથી વાકેફ થઈને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ થઈ શકે છે. ત્યારે આજે સિહોર વિદ્યામંજરી જ્ઞાન પીઠ સ્કૂલ ખાતે વાલી મીટીંગ તેમજ વીટીપી માં વધારે માર્ક લાવેલા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
જેમાં વિદ્યામંદિર સ્કૂલના સંચાલક પીકે મોરડીયા તેમજ કનાડ ગામના સરપંચ મયુર સિંહ ગોહિલ મનહરભાઈ ઉલવા હિતેશભાઈ મલુકા તેમજ વગેરે આગેવાનો અને વાલી ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોઈ રહ્યા હતા
વિટીપી ટેસ્ટમાં મહેનત કરીને આગળ આવેલા વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ તેમજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવતી વાર્ષિક પરીક્ષા અંગે પણ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યો હતું