Sihor
જાજરમાન ઇતિહાસની શોભા પડીને પાદર
પવાર
સિહોરના સુરકાના ડેલાની વિરાસત ભાંગીને ભુક્કો ; ડમ્પરની બ્રેક ફેઈલ દીવાલ સાથે ધડાકાભેર અથડાયો
ટાણા તરફથી આવતા ડમ્પરને અચાનક બ્રેક ફેઈલ થઈ નાસભાગ મચી, સદનસીબે ડેલાની દિવાલ સાથે ધડાકાભેર અથડાયો, ઇતિહાસિક દરવાજો ભાંગીને ભુક્કો
સિહોરમાં સુરકાના દરવાજા વિસ્તારમાં આજે સવારે ટાણા આવતું એક ડમ્પરની બ્રેક ફેઇલ થઇ જતાં ડમ્પર સુરકાના ડેલાની દીવાલ તોડીને ઘુસી ગયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નહોતી પરંતુ સમયની અનેક થપાટો ખાઇને સુરકાનો દરવાજાની દિવાલો અત્યંત જર્જરીત હાલતમાં ઉભી હતી તેમને મોટું નુકસાન થયું હતું એમ કહી શકાય કે વિરાસત વિખાઈ ગઈ છે એક સમયે સુરકા તરફ જવા માટેનો આ એક માત્ર માર્ગ હતો આજે અહીંથી સુરકા અને ટાણા તરફ જવાનો રસ્તો છે પરંતુ અહીંથી પસાર થનાર કોઇ વ્યકિતને આ દરવાજો જોઇને એવું ન લાગે કે એક દિવસના સમયે આ દરવાજો સિંહપુરનું રક્ષણ કરતો હશે આજે તો આ દરવાજો લગભગ ખંડેર અને ભાંગીને ભુક્કો થઈ ચૂક્યો છે સિહોરમાં આજે પણ એવા કેટલાય સ્થળો છે જે સિહોરની જાહોજલાલીની સ્મૃતિ કરાવે છે.
ઇતિહાસના પૃષ્ઠોમાં સિહોરનું પ્રાચીન નામ આજે પણ સિંહપુર આલેખાયેલું છે. સિહોરની ફરતે એક સમયે ગાઢ વનરાજી પણ હતી. અને એ સમયે રાની પશુઓ કે ચોર લુંટારાઓ સામે રક્ષણ મેળવવા માટે તે સમયના રાજા મહારાજાઓએ સિહોરને કિલ્લાઓથી સુરક્ષિત બનાવ્યું હતું.
એ સમયનો એક ઐતિહાસિક વારસો અને સિહોરની આન,બાન અને શાન એટલે સુરકાનો દરવાજો.સિહોરનો ઐતિહાસિક દરવાજો કે જે દિવસે-દિવસે લોકોની સ્મૃતિમાંથી વિસરાઇ રહ્યો છે. તે અંગે તંત્રએ કોઇ નક્કર પગલાં ભરવા જરૂરી બન્યા છે. આજે દરવાજો તો માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની રહ્યો છે. આ દરવાજાની અસલ રોનક પરત લાવવા માટે તંત્ર જરૂરી પગલાં લેશે તો જ સિહોરના જાજરમાન ઇતિહાસની શોભા અને ગરિમા જળવાઇ રહેશે. નહીંતર સિહોરના એક પછી ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યો નામ શેષ થતાં જશે અને ફકત ઇતિહાસના પૃષ્ઠો પૂરતા જ સીમિત રહી જશે.