Gujarat
અંગદાન મહાદાન અભિયાન..
પવાર
શુક્લ પરિવાર દ્વારા યોજાયેલ રામ ચરિત માનસ જ્ઞાન યજ્ઞમાં અંગદાન અભિયાનની માહિતી અપાઈ
અમૃતકાળ મા કોઈ વ્યકિત અંગ ની પ્રતિક્ષામા મૃત્યુ ન પામે તે શુભ આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમા અંગદાન અભિયાન ને અગ્રસ્થાન આપી રહયા છે.
ત્યારે ગુજરાત રાજ્ય ના સમાજસેવક અને અંગદાન અભિયાન ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદા ના અંગદાન ના સંકલ્પ ને સાર્થક કરવા અંગદાન કમીટીના જિલ્લા ઈન્ચાર્જ અશોકભાઈ ઉલવાએ ભુરખીયા હનુમાનજી બાપાની જગ્યામા શુક્લ પરિવાર દ્વારા યોજાયેલ રામ ચરિત માનસ જ્ઞાન યજ્ઞ મા અંગદાન મહાદાન અભિયાન ની શ્રોતાઓ સમક્ષ વાત કરી પત્રિકાઓ વહેચી સોએ અંગદાન ના સંકલ્પ ને સફળ બનાવ્યો હતો.
વ્યાસ પીઠ પરથી વક્તા રમેશભાઈ શુક્લજીએ અંગદાન ની વાત ને સમથઁન આપ્યુ હતુ.