Sihor

સ્વ.હિરેન રાણાની દ્વિતીય પુણ્યતિથિએ સિહોર ખાતે આવતીકાલે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

Published

on

પવાર

સિહોર ખાતે તા.5એપ્રિલ 2023ના રોજ બ્રહ્મભટ્ટ સમાજના યુવા સ્વ.હિરેનભાઈ નટુભાઈ રાણાની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે આવતીકાલે શુક્રવારના રોજ સવારે 10 કલાકે સ્થળ ઓસવાલ જ્ઞાતિ વાડી (વાસડાવાળા ડેલો) ખારાકુવા ચોક સિહોર ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં શહેરી પ્રાથર્મિક આરોગ્ય કેન્દ્ર સિહોર,પવન ફાઉડેશન (સાઈનાથ ક્લિનિક), સિહોર બ્રહ્મભટ્ટ સમાજ,સ્વ.હિરેન રાણા મિત્રમંડળ, રાણા પરિવાર દ્વારા આયોજન થી ડૉ.રિદ્ધિ જોષી, ડૉ. લાખાણી, ડૉ.વિજય કામલીયા, ડૉ પ્રકાશ ભટ્ટ, ડૉ.નરદીપસિંહ રાઠોડ, ડૉ.મનદીપ પ્રજાપતિ, ડૉ .શેલેષ પરમાર સહિત સેવાઓ આપશે જેમાં સ્ત્રીરોગ,પ્રસૂતિ,દાંત ને લગતા રોગ, બીપી.ડાયાબિટીસ.

On the second death anniversary of late Hiren Rana, a free disease diagnosis camp will be held at Sihore tomorrow.

તેમજ બાળરોગ જેવા રોગોના નિષ્ણાત ડોક્ટર સાહેબો ની નિષ્ણાંત ટીમ દ્વારા દર્દીઓ ની તપાસ કરશે. તેમજ જરૂરી દવાઓ પણ આપવામાં આવશે. શહેરની તમામ જનતાને આ સર્વ રોગ નિદાન કેમ્પ માં લાભ લેવા આયોજકો દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે.

Exit mobile version