Gujarat

હવે ઈસુદાન ફસાયા ; મન કી બાત કાર્યક્રમ અંગે ટ્વીટ કરતા સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો

Published

on

કુવાડિયા

830 ખર્ચાયા હોવાનું ટ્વીટ વિવાદમાં : તપાસનો ધમધમાટ

ગઈકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપીસોડ પ્રસારીત થતા દેશભરનાં નાગરીકોએ કાર્યક્રમ સાંભળ્યો હતો તેવા સમયે આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરતા તેમની સામે ગુનો નોંધાતા સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત 100મો એપીસોડ પ્રસારીત થતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીએ મન કી બાદ કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું ટ્વીટ કરેલ જે માહિતી પાયા વિહોળી અને પુરાવા વગરની હોવાની ઈસુદાન સામે ફરીયાદ થતા ટવીટ સંદર્ભેની તપાસ સાયબર ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Now Jesus is trapped; Cybercrime registered a case for tweeting about Mann Ki Baat programme

ઈસુદાન ગઢવી સામે ફરિયાદમાં પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા વપરાયા હોવાની વાત કરી હતી. આ ટવીટ મુદે કોઈ વાત પુરાવા સાથે ન હોવાથી પ્રધાનમંત્રીને બદનામ કરવા માટે કરાયેલુ ટવીટ હોવાનું જાણવા મળ્યું છે જે સંદર્ભે અમદાવાદ સાયબર ક્રાઈમે ઈસુદાન સામે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. ટવીટના પગલે ઈસુદાનની મુશ્કેલીમાં વધારો થયો છે. સાયબર કાઈમે એસપી જીતેન્દ્ર યાદવના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપી છે.

Advertisement

Exit mobile version