Palitana

પાણી નહીં તો વોટ નહીં : પાલીતાણાના રંડોળા ગામે 10 દિવસથી લોકો પાણી માટે તરસી રહ્યા છે

Published

on

પવાર

  • લોકો સમસ્યાથી કંટાળ્યા, રાજકીય પક્ષોના કાર્યકરોએ ગામમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવવું નહિ તેવી ચીમકી, વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર

આઝાદીના સાડા સાત દાયકા પછી પણ જીલ્લામાં વિકાસની ગતિ અટવાઈ પડી છે અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નામે ફક્ત વાયદાઓ થતા રહ્યા છે. વહીવટી તંત્ર કે રાજકીય અગ્રણીઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે દુર્લક્ષ સેવતા પરિસ્થિતિ જ્યાંને ત્યાં જોવા મળી રહી છે. પાલીતાણા તાલુકાના રંડોળા ગામે છેલ્લા દસ દિવસથી પાણી નહિ મળવાના કારણે લોકો તરસી રહ્યા છે જેને લઈ લોકોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી બહિષ્કારની ચીમકી પછી કહેવાતા રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ દોડતા થતા હોવાની સાથે બાહેંધરી આપતા હોય છે.

ચૂંટણી પછી સમસ્યા હતી ત્યાં ને ત્યાં રહેતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પાણી નહીં તો વોટ નહીં પાલીતાણાના રંડોળા ગામે 10 દિવસથી લોકો પાણી માટે તરસી રહ્યા છે માળખાગત પાયાની સુવિધાના અભાવ જોવા મળી રહ્યો છે અવાર નવાર લેખિત મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં તંત્ર અને સત્તાધીશો દ્વારા ઓરમાયુ વર્તન અને વિકાસથી વંચિત રાખવા બદલ ગ્રામજનોએ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર તેમજ કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં આવવું નહીં તેવી ચિમકી આપતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Exit mobile version