Bhavnagar
પેપરકાંડ સામે ભાજપમાં પડઘો ન પડયો: ભાવનગર I.T. સેલના સહકન્વીનર નું રાજીનામું
પવાર
- ભાજપને 156 સીટ જીતાડીને યુવા વર્ગે મોટી ભુલ કરી : હવે નાગરિક તરીકે લડત ચલાવવાની જાહેરાત
પેપરકાંડના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહયા છે તેવા સમયે ભાજપ આઇ.ટી. સેલના સહક્નવીનર યજ્ઞેશ ત્રિવેદીએ આ મુદે પોતાનું રાજીનામું આપ્યું છે. ભાજપના સોશ્યલ મીડીયા ગૃપમાં સભ્યોએ આક્રોશ ઠાલવી રહયા છે ત્યારે યજ્ઞેશ ત્રિવેદી રાજીનામુ આપી હવે એક નાગરીક તરીકે લડત ચલાવવાની જાહેરાત કરી છે. ભાવનગર ભાજપ આઈટી સેલના વોર્ડ ક્ધવીનર યજ્ઞેશ નરેન્દ્રભાઈ ત્રિવેદીએ રાજીનામું આપતા જણાવ્યું છે કે , હું છેલ્લા 3 માસ અગાઉ પાર્ટી સાથે જોડાયો હતો . જેના ભાગરૂપે અમોએ પ્રામાણિકતા અને વફાદારી સાથે ગુજરાત વિઘાનાસભા ચૂંટણીમાં એક કાર્યકર / હોદેદાર તરીકે મને સોપવામાં આવેલ કામગીરી કરી હતી અને ભાવનગર પૂર્વની સીટ આજદિન સુધી કયારેય પણ જીતનાં મળી હોય તેવી જીત અપાવવામાં સહભાગી થયા હતા.
bhav
પરંતુ ભારતીય જનતા પાર્ટીને 156 સીટ જંગી જીતથી સરકારને વિજયી બનાવી તે યુવાવર્ગ માટે સૌથી મોટી ભૂલ સાબિત થઇ છે . અગાઉ પણ વિવિધ સરકારી ઓફીસમાં થયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મુહિમ ઉપાડેલ અને એક આર.ટી.આઈ કાર્યકર તરીકે લોકોના પ્રશ્ર્નોને વાચા આપી હતી. ભાજપના કાર્યકર તરીકે ઉઠાવી ન શક્યો ભાજપના આઇટી સેલના વોર્ડ સહક્ધવીનર યજ્ઞેશ ત્રિવેદીએ તો વારંવાર સરકારી નોકરીના પેપર ફૂટતાનો મુદ્દો એક ભાજપના કાર્યકર તરીકે ઉઠાવી ના શકીએ પરંતું એક નાગરિક તરીકે અને એક શિક્ષિત યુવા તરીકે લોકહિતમાં ઉઠાવી શકાય છે. આથી આજથી જ કાર્ય કરવા હું આપને નમ્ર વિનંતી સહ પાર્ટીમાંથી રાજીનામું આપું છું . જે આપ સ્વીકારીને અમોને મુકત કરશો તેમ પત્રમાં જણાવ્યું હતું .