Sihor

સિહોરમાં અનેક બિનવારસી લાશોની અંતિમ વિધી કરતા નટુભાઈ ત્રિવેદી ; બે દિવસ પહેલા મળેલી બિનવારસી લાશની અંતિમવિધિ કરી

Published

on

દેવરાજ

સિહોર શહેર કે પથંકના વિસ્તારોમાંથી મળી આવતી બિનવારસી લાશોની અંતિમવિધિ શહેરના સેવાભાવિ નટુભાઈ ત્રિવેદી વર્ષોથી કરે છે. અત્યાર સુધીમાં અસંખ્ય બિનવારસી લાશોની અંતિમવિધિ કરી માનવતાની મહેંક પ્રસરાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સિહોર શહેર અને પથંકના વિસ્તારોમાંથી અજાણ્યા લોકોની લાશો તરતી મળી હોવાના બનાવો સામેં આવ્યા બાદ આવી બિનવારસી લાશોની અંતિમવિધિ કરતા નટુભાઈ ત્રિવેદી એક અનોખી સેવા કરી રહ્યા છે.

Natubhai Trivedi performing last rites of several disinherited bodies in Sihore; Funeral of the dead body found two days ago

ત્યારે સિહોરના રેલ્વે સ્ટેશન રોડ પાસેથી બે દિવસ પહેલા વૃદ્ધને એટેક આવતા તેઓને સ્થાનિક લોકો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું જ્યારે આ વૃદ્ધની સાથે તેમના સગા વાલા કે કોઈ વાલી વારસો સાથે ન હોય જે માટે સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા સિહોર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આ વૃદ્ધના વાલીવારસને સગા વાલાની તપાસ કરવા માટે બે દિવસ સુધી રાહ જોવામાં આવી પરંતુ તેમના સગા સંબંધી આવ્યા ન હતા અને તેઓની ડેડબોડીને ભાવનગર કોલ સ્ટોરમાં બે દિવસ સુધી રાખવામાં આવી હતી પરંતુ તેઓના સગા સંબંધીઓ કોઈ ન આવતા આજે સિહોરના સેવાભાવી નટુભાઈ ત્રિવેદી અને અન્ય લોકો દ્વારા આ બિનવારસી લાશના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા આ માનવતા ભર્યા કાર્યમાં નટુભાઈ ત્રિવેદી સાથે ધર્મેન્દ્રભાઈ ચાવડા, પાલાભાઈ, સુરેશભાઈ, જીગાભાઈ રબારી, વગેરે જોડાઈને એક અનોખી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Exit mobile version