Bhavnagar

નરેન્દ્ર મોદી અને અમિત શાહ તમે રાહુલ ગાંધીની જેમ યાત્રામાં 25 કિમી તો નહીં ચાલી શકો, પરંતુ પાંચ કિમી તો ચાલો મજા આવશે ; શક્તિસિંહ

Published

on

કુવાડિયા
વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના પ્રચાર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંગ ગોહિલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે વર્તમાન સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, ગુજરાત મેં બનાવ્યું તેવું ભાજપે સ્લોગન આપ્યું છે. ગુજરાત મેં બનાવ્યુંના નારા લગાવવામાં આવી રહ્યા છે એ લોકોને ખબર નથી કે, ગુજરાતીઓની મહેનતે ગુજરાતને બનાવ્યું છે. માત્ર સ્લોગન આપવાથી ગુજરાત બની જતું નથી. તો બીજી તરફ ભારોસાની ભાજપ સ્લોગનને લઇને તેમણે કહ્યું કે, ચોક્કસ હું કહું છું કે, ગુજરાતના લોકોએ ભરોસો મુક્યો હતો. પરંતુ બનાવી જવા માટે નહીં.
ગુજરાતીઓની મહેનતે આપણા ગુજરાતને બનાવ્યું ; શક્તિસિંહ
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ લોકોનો આભાર માનું છું, પ્રચારમાં ખૂબ જ સહયોગ આપ્યો છે. ગુજરાતનું ડીએનએ એટલે કે એનું લોહી ડેવલપમેન્ટ છે એ વિકાસ છે અને જ્યારે બીજા દેશોમાં એ હિંમત ન હતી કે દરિયો ખેડીને જવાય તે દિવસોમાં ગુજરાતી આફ્રિકા અને યુરોપ સાથે કોઇપણ જીપીએસ અને અધ્યતન વસ્તુઓ વગર ગુજરાતી વેપાર કરતો હતો અને એ ગુજરાતીઓની મહેનતે આપણા ગુજરાતને બનાવ્યું છે.
ભરોસાની ભાજપે પાડો જણ્યો આ સૌરાષ્ટ્રમાં કહે છે : શક્તિસિંહ
ભાજપની બનાવ્યું ગુજરાત જેવી બીજી એક વાત કરે છે ભરોસાની ભાજપ. ચોક્કસ હું કહું છું કે, ગુજરાતના લોકોએ ભરોસો મુક્યો હતો. બનાવી જવા માટે નહીં, સાચો વહિવટ કરવા માટે. એટલે અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે, જે ભેંસ પર ભરોસો મુક્યો હોય. ખુબ સરસ ઘાસ આપ્યું હોય. ખાણ ખવડાવ્યું હોય. સાચવી હોય કે આ પાડી આપશે. એટલે કે એમાંથી ભવિષ્યમાં ફાયદો થશે. પરંતુ એ ભરોસાની ભેંસ પાડો આપે તો એ પાડો કોઈ કામનો ના હોય. ના ગાડે જોડાય. ના ખેતીના કામમાં આવે. ના ખેડૂત કે પશુપાલક એને વેચી શકે અને એના ગળે પડે. એમ ભરોસાની ભાજપે પાડો જણ્યો આ અમારા સૌરાષ્ટ્રમાં કહે છે. એટલે વાતાવરણ એમની વિરૂદ્ધ છે.
રઘવાટ, બોખલાહટમાં ભાજપ કામ કરે છે ; શક્તિસિંહ
ભાવનગર શહેરમાં થોડા દિવસમાં ત્રણ-ત્રણ વખત વડાપ્રધાને આવવું પડે. પહેલી વખત આવ્યા ત્યારે ગાંઠીયા ગાંઠીયા કરીને નીકળી ગયા. પછી કોઈએ કહ્યું કે, કૃષ્ણકુમારસિંહનું નામ લીધું નથી આ બરાબર નહીં તો ફરી આવ્યા અને આવીને કહ્યું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબનું નાટકમાં હું પાત્ર ભજવતો હતો. કૃષ્ણકુમારસિંહજી મહરાજા એ પ્રજાવત્સલ રાજા એમના નાટક ના જોડાય. એમણે કહ્યું હતું કે, મારી પ્રજાનું કલ્યાણ થજો. એમનું સુત્ર હતું કે, મારી પ્રજાનું કલ્યાણ થજો. એટલે કે રઘવાટ, બોખલાહટમાં ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. તમારી સામે મેં એક મુદ્દો મુક્યો છે. આવા અનેક મુદ્દા છે જ્યાં એમણે ગુજરાતને બનાવ્યું એટલે કે ગુજરાતને છેતરયું છે.

Exit mobile version