Sihor
ધો.10-12 ની બોર્ડ પરીક્ષાનો ‘હાઉ’દુર કરવા સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા નમો હેલ્પલાઈન શરૂ કરાઈ
બરફવાળા
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સમગ્ર દેશના વિધાર્થીઓની ચિંતા કરે છે ત્યારે બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા નમો હેલ્પલાઈન શરૂ કરવામાં આવી ; સિહોર જ નહીં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ તથા સ્કુલોને પણ માર્ગદર્શન અપાશે ; નમો હેલ્પલાઇનમાં લોકોની મુંઝવણ દુર કરાશે જરૂરી માર્ગદર્શન અપાશે ; સંસ્થા દ્વારા વોટ્સએપ નમો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો ; વોટ્સએપ અને કોલ માટે ગમે ત્યારે 9428052171 – 24×7 સંપર્ક કરી શકશો ; પી કે મોરડીયા
શિક્ષણ બોર્ડની આગામી પરીક્ષાને લઈને ધો.10-12 ની બોર્ડ પરીક્ષાનો ‘હાઉ’દુર કરવા સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા નરેન્દ્રભાઈ મોદી (નમો) હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ નમો હેલ્પલાઈન પર વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને સ્કુલો પણ માર્ગદર્શન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હેલ્પલાઈન પર જરૂરી માર્ગદર્શન અપાશે. આ હેલ્પલાઈન પરીક્ષા પૂર્ણ થાય તે દિવસ એટલે કે 29 માર્ચ સુધી કાર્યરત રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ દરમ્યાન લેવામાં આવનાર છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સમગ્ર દેશના વિધાર્થીઓની ચિંતા કરે છે જેને લઈ સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા પણ નરેન્દ્રભાઈ મોદી (નમો) હેલ્પલાઈન શરૂ કરાઈ છે સિહોર જ નહીં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ તથા સ્કુલોને પણ માર્ગદર્શન અપાશે, આમ હવે પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
ત્યારે વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ હેલ્પ દ્વારા હજારો વિધાર્થીઓ વાલીઓને માર્ગદર્શન મળી રહેનાર છે શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે 1 માર્ચથી જ હેલ્પ લાઈન શરૂ કરવાનું નકકી કર્યું છે. ધો.10 અને 12 ની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ તેમજ શાળા પણ આ હેલ્પલાઈન નંબર 9428052171 પરથી માર્ગદર્શન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ હેલ્પલાઈન 24×7 ચાલુ રહેશે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને પોતાની મુંઝવણો વિશે માહીતી મેળવી શકશે. ઉપરાંત પરીક્ષાનો હાઉ દુર કરવા માટેનું માર્ગદર્શન અપાશે આ ઉપરાંત વાલીઓ અને સ્કુલોને પણ પરીક્ષાને લઈને ઉદભવતા પ્રશ્નોનું હેલ્પલાઈન પરથી નિરાકરણ મળશે વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્થાના પી કે મોરડીયાએ કહ્યું હતું કે આપણા યશસ્વી વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વિધાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી ચિંતા કરે ત્યારે બોર્ડ પરીક્ષા આપનાર તેમજ વાલીઓને મુંઝવતા પ્રશ્ર્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે નમો હેલ્પલાઇનનો સૌને લાભ લેવા જાહેર અપીલ છે.