Sihor

સિહોર નગરપાલિકાના ભરત ગઢવીની આગેવાનીમાં 20 થી વધુ સફાય કર્મીઓ જૂનાગઢમાં સફાઈ કરી

Published

on

બરફવાળા

જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે સિહોર નગરપાલિકાના ભરત ગઢવી સહિત 20 કર્મીઓ જૂનાગઢ પોહચ્યા, જૂનાગઢને ફરી ધબકતું કરવાની કવાયતમાં ત્રણ દિવસ રોકાયા

more-than-20-sanitation-workers-led-by-bharat-gadhvi-of-sihore-municipality-cleaned-in-junagadh

જૂનાગઢમાં વરસાદથી થયેલ તારાજી બાદ ગંદકીથી રોગચાળો ન ફેલાય તે માટેની કવાયતમાં સિહોરના ભરત ગઢવી સહિત નગરપાલિકાના 20 થી સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. જૂનાગઢમાં શનિવારે થયેલા ભારે વરસાદના કારણે ખૂબ જ તારાજી સર્જાયેલ તેમજ અનેક વિસ્તારોમાં ખૂબ જ ગંદકી પણ ફેલાયેલ આથી રોગચાળો ન ફેલાય તે માટે સરકાર અને તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી

more-than-20-sanitation-workers-led-by-bharat-gadhvi-of-sihore-municipality-cleaned-in-junagadh

સમગ્ર રાજ્યમાંથી હજારો સફાઈ કર્મચારીઓ ઉપરાંત સિહોર નગરપાલિકાના ભરત ગઢવી સહિત 20 સફાઈ કર્મચારીઓ સફાઈના કામે લાગ્યા હતા. કચરો અને ગંદકીના નિકાલની સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો દ્વારા કચરો એકત્ર કરી તેનો નિકાલ કરાયો છે.

more-than-20-sanitation-workers-led-by-bharat-gadhvi-of-sihore-municipality-cleaned-in-junagadh

જ્યાં ત્રણ દિવસના રોકાણ બાદ સિહોરના ભરત ગઢવી અને સફાય કર્મીઓ પરત ફરતા નગરપાલિકા ચિફઓફિસર મારકણા દ્વારા શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. આમ જૂનાગઢને ફરી ધબકતું કરવાની કવાયતમાં સિહોરના કર્મીઓ ત્રણ દિવસ રોકાયા હતા

Advertisement

Exit mobile version