International

નેપાળની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૭૨ લોકોને મોરારિબાપુ તરફથી સહાયતા રાશિ અર્પણ

Published

on

પવાર

ગઈકાલે ભારતના પડોશી દેશ નેપાલ ખાતે એક અત્યંત દુઃખદ વિમાની દુર્ઘટના થવા પામી હતી જેમાં ૭૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.  મળેલા અહેવાલ અનુસાર પાંચ ભારતીય સહિત અન્ય દેશોનાં કુલ મળીને ૭૨ લોકોનાં મોત થયાં છે. રામકથાના નેપાળ ખાતેના શ્રોતાઓ દ્વારા આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે. પૂજ્ય મોરારીબાપુ તરફથી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા ૧૧૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે.

moraribapu-presents-rashi-to-72-people-who-died-in-the-plane-crash-in-nepal

આ ઘટનામાં નેપાળના મૃતકો વધુ સંખ્યામાં છે. અન્ય દેશના નાગરિકોની વિગતો મેળવી તેમને પણ શક્ય હશે એ પ્રમાણે આ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. આ સહાયતાની કુલ રકમ ૭ લાખ ઉપરાંતની છે.મોરારીબાપુ એ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.

Exit mobile version