Gujarat

નવસારી નજીકના થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ તરફ સંવેદના વ્યક્ત કરતા મોરારીબાપુ

Published

on

દેવરાજ

ગઈકાલે વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર એક અત્યંત કરુણ અને દુઃખદ અકસ્માત થયો હતો. અમદાવાદથી વલસાડ તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓની કારનો એક બસ સાથે અકસ્માત થતાં એ ઘટનામાં નવ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. નવસારી નજીકના નેશનલ હાઇવે નંબર ૪૮ પર પરથાના ખાતે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે

moraribapu-condoles-those-killed-in-the-accident-near-navsari

તેમને સંવેદના સ્વરૂપે લાઠીની રામકથા ની વ્યાસપીઠ તરફથી પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા ૧૧૦૦૦ -૧૧૦૦૦ની સંવેદના સહાયતા પ્રેશિત કરેલ છે.  મરણોત્તર સહાયની કુલ રકમ ૯૯ હજાર રૂપિયા થાય છે.આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમનાં નિર્વાણ માટે પૂજ્ય બાપુએ  હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમના પરિજનો તરફ વ્યક્ત કરી છે. એ ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી પણ પ્રાર્થના બાપુએ કરી છે.

Exit mobile version