Sihor

સિહોર ટાણા ચોકડી થી દાતારપીર સુધી બનેલા R.C.C રોડમાં લોટ પાણી લાકડા

Published

on

પવાર

  • માત્ર 40 થી 45 દિવસમાં બનાવેલ રોડમાં તંત્ર અને કોન્ટ્રાકટર ની મિલિભગત સામે આવી, સિહોરના જાણીતા પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માં લેખિત ફરિયાદ કરી

સિહોર શહેરના ટાણા ચોકડી સુરકા દરવાજા થી લઈ લીલાપીર અને દાતારપીર સુધીનો રોડ છેલ્લા ઘણા વર્ષો થી ભયંકર ખાડા ખાબોચિયાને લઈ જર્જરિત આ રોડ ઉપર થી 25 થી વધુ ગ્રામ્ય વિસ્તારો આવે છે અને સતત આ રોડ 24 કલાક નાનામોટા વાહનો લોડીંગ વાહનો તેમજ સ્થાનિક નગરપાલિકા ના સૂરકા દરવાજા થી લઈ દાતાર સુધી વોર્ડ નં 8 અને 9 આવેલો રહેવાસી રહેઠાણ પણ ધરાવે છે જે રોડ અંગે અનેક રાજકીય પક્ષો ના નેતાઓએ રોડ અંગે તંત્ર તેમજ રાજ્યસરકાર સુધી રજૂઆતો થઈ તેમ છતાં કોઈ ફેર ન પડ્યો ત્યારે ભાવનગર જિલ્લા ની અને સિહોરની સ્થાનિક ન્યુઝ ચેનલ દ્વારા સતત સમાચારો ચલાવેલ તેમજ સ્થાનિકો સહિત નાઓ ના ઇન્ટરવ્યુ ને લઈ રોડ અંગે જાગૃતા અંગે સતત સમાચારો પ્રસિદ્ધ થયા અખબારો તેમજ ટીવી માં માત્ર ટાણા રોડ નો મુદ્દો ગાંધીનગર ખાતે વિધાનસભા માં ગુંજ્યો હતો જે અંગે આ રોડ. 1.6 કિલોમીટર ના સી સી રોડ બનાવવા 1.60 લાખ ફાળવવા માં આવ્યા હતા.

lot-water-wood-in-r-c-c-road-built-from-sihore-tana-chowk-to-datarpir

અને રોડ અંગે નું ખાતમુહૂર્ત પાલીતાણા ધારાસભ્ય તેમજ ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય ના વરદ હસ્તે ખાતમુહૂર્ત પણ થયુ.અને ટૂંકા ગાળા માં રોડ નું કામ ટાણા ચોકડી થી શ્રીગણેશ થયા અને દાતારપીર સુધી ના રોડ નું કામ માત્ર ને માત્ર 40 થી 45 દિવસ માં પૂર્ણ કરવા માં આવ્યું પરંતુ આ રોડ ઉપર RCC ને બદલે CC રોડ બન્યો હોય તેમજ તંત્ર તેમજ કોન્ટ્રાકટર ની મીલીભગત હોય તેમ હલકી કક્ષા ની ગુણવત્તાના ધોરણે આ કામગીરી હાથ ધરાતા બાદ હાલ આ રસ્તા ઉપર કાંકરી ઓ,પોપડા તેમજ ખાડા ઓ જોવા મળ્યા છે.જે અંગે આજરોજ સિહોર ના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર હરીશભાઈ પવાર દ્વારા આજરોજ સિહોર મામલતદાર કચેરી ખાતે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત લેખિત રજૂઆત કરવામાં આવી છે.

lot-water-wood-in-r-c-c-road-built-from-sihore-tana-chowk-to-datarpir

આ અંગે કાર્યવાહી કરવા અને રોડ ના કામ માં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોક ચર્ચાએ જોર પકડ્યું છે અને આ રોડ ના કામ 1કરોડ અને 60 લાખ રૂપિયા વાપર્યા હોય તો આ રોડ ટનાટન ને બદલે માત્ર 45 દિવસ માં રોડ ની હાલત જોતા લોટ,પાણી અને લાકડા જેવી પરિસ્થતિ ને લઈ ભ્રષ્ટાચાર થયા નો ખુલ્લો આક્ષેપો નગરજનો દ્વારા લોકચર્ચા એ ચર્ચાઈ રહ્યું છે આ અંગે વિજિલન્સ તપાસ કરવા પણ માંગ કરવામાં આવશે…તેમજ આ રોડ પ્રશ્ને સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ ઉગ્ર રજૂઆત થશે તેવું પણ સ્થાનિકો દ્વારા જણાવાયું હતું

Exit mobile version