Sihor

હાશ.. કોઈ તો નગરમાં નગરનું નિકળ્યું બાકી તો બધા મતના જ નીકળ્યા

Published

on

પવાર

સિહોર ના રાજકીય તેમજ સામાજીક આગેવાન ભરતભાઈ મલુકા ઉતર્યા મેદાને

પાલિકા દ્વારા જે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ તેમજ ફાયર વિભાગ બાઉઝર માં તોતિંગ ભાવ વધારા ને સામે લાલઘોમ

સિહોર નગરપાલિકાના બની બેઠેલા સત્તાધીશ કર્મચારીઓ ની નફ્ફટાઈ ચોરે આવીને ચર્ચાઈ રહી છે ત્યારે તેના માથે રહેલા આકાઓના હાથ સામે કોઈની નજર ઉંચી કરવાની પણ હિંમત નથી ત્યારે સિહોરના પીઢ રાજકીય સાંમાજીક આગેવાને પોતાના નગરને માટે નગરજનો માટે મેદાને ઉતર્યા છે.

Lol.. Some went from town to town, and all the others left

હા વાત છે સિહોર ના રાજ્કીય તેમજ સામાજીક અગ્રણી ભરતભાઈ મલૂકા દ્વારા જણાવેલ કે શંખનાદ ન્યુઝ ચેનલ દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવેલ છે કે સિહોર નગરપાલિકા ના ઇમરજન્સી જાહેર સેવા આપતી એક સંસ્થા છે ત્યારે આ સંસ્થા ના કોઈ કહેવાતા અમુક લોબિંગ થી ચાલતી ટોળી ના ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા જે ગરીબ અને મધ્યમવર્ગના ઓ ના દર્દીઓ ની સેવા માટે એમ્બ્યુલન્સ સિહોર થી ભાવનગર વર્ષો થી સતાધીશો દ્વારા રૂ.૨૫૦ ભાડું વસૂલવામાં આવતું હતું.જે અંગે ભાવનગર જિલ્લા ની સર્વશ્રેષ્ઠ ન્યુઝ ચેનલ સિહોર થી પ્રસિદ્ધ થતા નિડર.નિષ્પક્ષ.સચોટ અને પ્રજાના પ્રશ્નો ને વાચા આપતું એક માત્ર શંખનાદ ન્યુઝ ચેનલ તેમજ અહેવાલ ના માધ્યમ થી સમાચાર પ્રસિદ્ધ થતા જે સત્યતા અને નીડરતા થી પાલિકા ના કહેવાતા અમુક પેધી ગયેલા કર્મચારીઓ થી પાલિકા નું શાસન ચાલતું હોય તેમ પાલિકા નું વહીવટી કામ વહીવટદાર ભાવનગર જિલ્લાના અધિક કલેકટર બી જે પટેલ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી રહ્યા છે જે વહીવટદાર ના ઠરાવ વગર અને પૂર્વ પ્રમુખો કે નગરસેવકો ને વિશ્વાસ માં રાખ્યા વગર તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે તે અયોગ્ય છે.

Advertisement

Lol.. Some went from town to town, and all the others left

જે આ તોતિંગ ભાડું પરત કરવા માં નહિ આવે તો તા.૧૨/૮/૨૩ ના રોજ ભાવનગર ગ્રામ્ય ના ધારાસભ્ય એવમ રાજ્યસરકાર ના મંત્રી પરસોતમભાઈ સોલંકી ના પ્રતિનિધિ દિવ્યેશભાઈ સોલંકી સિહોર ખાતે કાર્યક્રમ માં આવવાના હોય જે અંગે રૂબરૂ માં લેખિત રજૂઆત કરવામાં આવશે તેમજ આ કહેવાતા અમુક કર્મચારી ની નીતિરીતિ થી પાલિકા નું નુકશાન થઇ રહ્યુ છે જે આગામી નગરપાલિકા ની ચુંટણી માં નુકશાન કરવાનું કામ આ કર્મચારીઓ કરી રહ્યા છે . પાલિકા ને જે કહેવાતા કર્મચારીઓ સરકાર અને રાજકીય પક્ષો ને નુકશાન કરનાર સામે તાત્કાલિક અસર થી પગલાં ભરવા તેમજ બદલી કરવા માંગ લોકચર્ચા એ ઉઠી છે.

Exit mobile version