Sihor

સિહોર ખાતે લોક અદાલત યોજાઈ : વર્ષોથી ચાલતા અનેક કેસોનો સુખદ ઉકેલ આવ્યો

Published

on

Pvar

પક્ષકારો વિવાદોનો ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે તે જ લોક અદાલતનો મુખ્ય ઉદેશ ; આ લોક અદાલતમાં સમાધાનપાત્ર, દિવાની, ફોજદારી, પીજીવીસીએલ, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસોનો નિકાલ.

સિહોરમાં શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું હતું છેલ્લા વર્ષોથી અદાલતમાં ચાલતા કેસોનો શનિવાર એ લોક અદાલતમાં ઉકેલ આવ્યો હતો. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર તાલુકા કાનુની સેવા સત્તા સમિતિ સિહોર અને બાર એસોસિએશન સિહોર દ્વારા શનિવાર એ રોજ સિહોર તાલુકા ખાતે કાર્યરત અદાલતના કેસો સંદર્ભે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં છેલ્લા વર્ષોથી અદાલતમાં ચાલતા કેસોનો શનિવાર એ લોક અદાલતમાં ઉકેલ આવ્યો હતો તે આવકાર્ય બાબત છે.

Lok Adalat held at Sihore: Several cases pending for years got amicable resolution

લોકો માટેની અદાલત એટલે લોક અદાલત. લોકોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવી હતી, કાયમી તકરારનું સાથે બેસી નિવારણ આવી હતી. લગ્ન વિષયક કેટલાક કેસોનો પણ સુખદ ઉકેલ આવી હતી. વાહન અકસ્માતોના કેસો પણ લાંબો સમય સુધી ચાલે છે પણ લોક અદાલતમાં આવા કેસો આવતા તાત્કાલીક વાહન અકસ્માતમાં અરજદારને ન્યાય મળી હતી. સમય અને પૈસાની બચત થાય છે અને તકરારનો કાયમી ઉકેલ આવે છે. કેટલાક કેસોમાં કોઇપણ તરફે ચુકાદો આવ્યો હોય તો તે ઉપલી કોર્ટમાં જાય છે અને ફરી સમય અને ખર્ચ થાય છે પરંતુ લોક અદાલતમાં સમાધાનથી આવેલો ઉકેલ કાયમી ઉકેલ હોય છે.

Lok Adalat held at Sihore: Several cases pending for years got amicable resolution
Lok Adalat held at Sihore: Several cases pending for years got amicable resolution

લોકોના પ્રશ્નોનો ઉકેલ આવે અને લોકોને ન્યાય મળે તેજ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ અને મહત્વ છે. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર, દિવાની, ફોજદારી, પીજીવીસીએલ, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો, લેબર કોર્ટના કેસો વિગેરેનો સમાધાન કરી ઉકેલ લાવવામાં આવ્યો હતો.

Advertisement

Exit mobile version