Sihor

સિહોર ખાતે ધનવંતરી રથનો શુભારંભ ; પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

Published

on

પવાર

રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથનું ડી.કે.પારેખનાં વરદ હસ્તે લીલી ઝંડી આપી ધનવંતરી રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું. જે આજરોજ સિહોર ખાતે તાલુકા પંચાયત કચેરી પાસે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રમયોગી ઉપસ્થિત હોય તેમજ વિવિધ વિસ્તારો માં પણ આ ધન્વંતરિ રથ ફરેલ હતો અને જાણકારી સાથે દર્દીઓ એ પણ લાભ લીધો હતો.

launch-of-dhanvantari-rath-at-sihore-a-large-number-of-patients-benefited-on-the-first-day

ધનવંતરી આરોગ્ય રથ બાંધકામ શ્રમિકો સહિત કડિયાકામ, પ્લાસ્ટરકામ, સુથારીકામ, લુહારીકામ, ઈલેકટ્રીશીયન, વાયરમેન, કલરકામ, ધાબા ભરવાના કામ, ટાઈલ્સ ફિટીંગ્સ કામ, પ્લમ્બર કામ જેવા ૩૨ પ્રકારના કામોનો આમાં સમાવેશ થાય છે. ધનવંતરી આરોગ્ય રથનો મુખ્ય ઉદ્દેશ્ય બાધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઇ રહે તે માટેનો છે. અત્યાર સુધી કુલ એક ધનવંતરી આરોગ્ય રથ ભાવનગર જીલ્લાના કુલ ચાર(૪) કડીયાનાકા (વડલા, બોરડી ગેટ, લિંબડિયું, મંત્રેશ), બાંધકામ શ્રમિક વસાહત, બાંધકામ શ્રમિક સાઇટ માટે કાર્યરત છે.

launch-of-dhanvantari-rath-at-sihore-a-large-number-of-patients-benefited-on-the-first-day

હાલ ભાવનગર જીલ્લા ખાતે ફુલ ત્રણ(૩) નવા ધન્વંતરી આરોગ્ય રથ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ છે. જેમાં એક(૧) નારી, બે(૨) સિહોર અને ત્રણ(૩) મહુવા માટે ફાળવવામાં આવેલ છે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમીક સારવાર, પેશાબની તપાસ, બિપીની તપાસ, લોહીની તપાસ, બલ્ડ શુગર જેવી અનેક સુવિધા આપવામાં આવે છે. ધનવંતરી આરોગ્ય રથની કામગીરીમાં બાંધકામ શ્રમીકોને ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે અને યોજનાકીય માહિતીથી અવગત કરવામાં આવે છે.

launch-of-dhanvantari-rath-at-sihore-a-large-number-of-patients-benefited-on-the-first-day

ધનવંતરી આરોગ્ય રથના સ્ટાફમાં હાલ એક-એક(૧) મેડીકલ ઓફિસર, પેરામેડીકલ સ્ટાફ, લેબ ટેકનિશીયન, લેબર કાઉન્સીલર, અને ડ્રાઈવર ઉપલબ્ધ છે જેમાં સિહોર ધનવંતરી રથ સાથે ડૉ.વિજયભાઈ વાળા,પાયલોટ.રાજુભાઈ પરમાર,લેબર કાઉસેલર કિરીટભાઇ સોલંકી, લેબ ટેકની.રિધ્ધિબેન નાયક સહિત સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાઈ હતી.તેમજ જરૂરીયાતમંદ દર્દીઓ એ બહોળો લાભ લીધેલ

Advertisement

Exit mobile version