Sihor

કચ્છી માલધારીઓ સિહોરમાંથી પસાર થઇને માદરે વતન તરફ

Published

on

દેવરાજ

પોતાના જીવનનિર્વાહ માટે 8 માસ સુધી ગામ મુકીને આમતેમ ભટકતા, કચ્છના માલધારી પરિવારજનો પોતાના પરિવારને તેમજ કુટુંબીજનોને પતિ, પોતાની પત્ની સાથે જાનમાલ સમાન માલની ખેવના કર્યા વગર વતન મૂકીને પોતાના પશુઓની સંભાળ માટે નીકળી પડે છે

સિહોરના હાઇવે પરથી કચ્છી.માડુઓ પોતાના વતન ભણી પસાર થઈ રહ્યા છે. પોતાના જીવન નિર્વાહ માટે હજારો કિલોમીટર સુધી 8 માસ સુધી ગામ મૂકી અને બીજા વચનોમાં આમતેમ ભટકવું પડે છે. કચ્છના માલધારી પરિવારજનો પોતાના પરિવારને તેમજ પોતાના કુટુંબીજનોને પતિ પોતાની પત્ની સાથે પોતાના જાનમાલ સમાન માલની ખેવનાકરવા માટે પોતાનું વતન કચ્છ અને તેના જુદા જુદા તાલુકાઓમાંથી અસંખ્ય સંખ્યાઓમાં આ કચ્છી માડુઓ પોતાનું વતન મૂકી અને પોતાના પરિવાર સાથે પોતાના ઘરને તાળા મારી અને પોતાના માલ જનાવરો સાથે આઠ માસ સુધી ગામ મૂકી અને પર ગામોમાં જ્યાં તેમના જનાવર માલ ઢોરને ચારો પાણી મળી રહે તેવા ગામોમાં અઠવાડિયું દસ દિવસ સુધી પડાવ નાખતા હોય છે

kutch-freighters-pass-through-sihore-towards-madare-watan

પોતે પોતાના માલ જનાવરો સાથે પોતે પોતાનું વતન કચ્છ મૂકી અને જે ગામોમાં પાણી અને ચારા પાણીની સુવિધા મળે તેવા ગામોમાં પોતે તેમના કીમતી માલ ઢોરને બચાવવા માટેની આજથી નહીં વર્ષોથી પરંપરા અનુગત પોતે આઠ માસ સુધી પોતાનું વતન મૂકી અને જ્યાં ચારો પાણી મળે ત્યાં વતન બનાવી અને દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે હાલમાં સિહોરના જાહેર માર્ગો ઉપર દરરોજ આવા કચ્છી પરિવારો પોતાના ઢોર ઢાકર માલને અને નાના નાના બાળકો સાથે પત્ની બહેનો લઈ અને જાહેર માર્ગો ઉપર પસાર થતા જોવા મળે છે ત્યારે તેનો નજારો જાહેર માર્ગો ઉપર જ પ્રકારનો જોવા મળતો હોય છે. આખા જીવન સંસારનો આધાર ઊંટની પીઠ ઉપર બાંધી અને મોજથી ઊંટ દોરડું પકડી અને જાહેર માર્ગો ઉપર પસાર થતા હોય છે ત્યારે તેમની સાથે રહેલા સ્વાન પણ તેમની સાથે સાથે પોતાની યાતના ભરી જિંદગી વિતાવી અને વતન ભણી તેના માલિક સાથે તડકો હોય કે પછી ટાઢ હોય પરંતુ તેનો માલિક જ તેનું જીવન છે જ્યારે માલિક એવું સમજે છે કે તેની તમામ માલ મિલકત ધન દોલત જે ગણો તે આ પશુઓ પોતાનું નિર્ભર જીવન છે.

Advertisement

Exit mobile version