Bhavnagar

કિસમે કિતના હૈ દમ? 8 ડિસેમ્બરે મત ગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થશે

Published

on

બુધેલીયા

ભાવનગર જિલ્લાની સાત બેઠક પર ભાજપ કોંગ્રેસના નારાજ નેતાઓ નિષ્ક્રિય રહ્યા કે અંદરખાને વિરોધ માં કામ કર્યું તેની અસર પરિણામ પર કેટલી પડે છે તે ખબર પડી જશે : કેટલાક નેતા અને કાર્યકરોએ વિરોધમાં કામ કર્યું હોવાની ફરિયાદ છે મતગણતરી બાદ કોનું જોર રહેશે તે ખબર પડી જશે

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે મતદાન પુરુ થયાં બાદ એક્ઝિટ પોલના તારણો જાહેર થઈ રહ્યું છે. મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપ બહુમતીથી સરકાર બનાવે છે તેવું  જાહેર કરી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. તેની સાથે સાથે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે નેતાઓના  નિષ્ક્રિય રહેવાની ફરિયાદ પણ બહાર આવી રહી છે. ચૂંટણીમાં  રાજકીય પક્ષના નેતાઓ  નિષ્ક્રિય કે અંદરખાને વિરોધ માં કામગીરી કરી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે. જોકે, નેતાઓની નિષ્ક્રિય રહેવાની કે અંદરખાને વિરોધ કરવાની નીતિ કેટલી કારગત નીવડી તે 8 ડિસેમ્બરે મત ગણતરી બાદ જ ખબર પડશે.ભાવનગર જિલ્લા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ કોંગ્રેસના કેટલાક નેતાઓની ભૂમિકા માટે શંકા થઈ રહી છે તેઓનું જોર કેટલું રહ્યું ઈવીએમની ગણતરીના આંકડા બાદ ખબર પડશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ થયું હતું.

ટિકિટ ફાળવણી બાદ દરેક પક્ષમાં નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી તે મતદાન વખતે પણ યથાવત રહી હતી. શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીઓમાં કોઈ સીધો બળવો તો થયો ન હતો પરંતુ નારાજ નેતાઓ અને કાર્યકરોએ આ ચૂંટણીમાં અંદરખાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી કે નિષ્ક્રિય રહ્યા હતા તેવી ફરિયાદ પ્રચાર અને મતદાન બાદ પણ સાંભળવા મળી છે.જોકે, આ પ્રકારની ફરિયાદ માત્ર ભાજપની જ નહીં પરંતુ કોંગ્રેસ અને આપની પણ સાંભળવા મળી રહી છે. વિધાનસભાની ચુંટણી વખતે નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધમાં પ્રવૃત્તિ કરી છે તે કેટલી અસરકારક છે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.

Exit mobile version