Sihor

ખોડીયાર જયંતિની રાજવી પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ ; માયાભાઈ આહિરે જમાવટ કરી દીધી

Published

on

દેવરાજ

  • ખોડિયાર જયંતિ નિમિતે પધારેલા સંતો- મહંતો- રાજકીય નેતાઓ- સામાજિક સંસ્થાના અગ્રણીઓની વચ્ચે રાજપરા ગામે ભવ્ય સંતવાણી યોજાઈ

સિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે ગઈકાલે ખોડીયાર જયંતિની ભાવ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજવી પરિવારના યુવરાજસિંહ રાણી સાહેબા સાધુ સંતો તેમજ નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

Khodiyar Jayanti was celebrated grandly by the royal family; Mayabhai Ahir has deployed

અહીં ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં માયાભાઈ આહીર લોક સાહિત્ય કલાકાર અલ્પાબેન પટેલ લોક ગાયક નિખિલભાઇ દવેએ જમાવટ કરી હતી ખોડીયાર જયંતિ ની ભાવ મંગળ ઉજવણીમાં જુનાગઢ થી સંત શિરોમણી શ્રી ઇન્દ્રભારતી બાપુ કાળભૈરવ ના ઉપાસક શ્રી રમેશભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા સંતવાણી અને હાસ્યની રમઝટ બોલાવી હતી તેમજ અલ્પાબેન પટેલ દ્વારા રાસ ગરબા તેમજ માતાજીના ગરબા ગાયા હતા.

Khodiyar Jayanti was celebrated grandly by the royal family; Mayabhai Ahir has deployed

આ કાર્યક્રમમાં રાજવી પરિવાર દ્વારા ભાવનગર સ્ટેટ યુવરાજસિંહ રાણી સાયબા લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર અલ્પાબેન પટેલ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અહીં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી

Exit mobile version