Gujarat

ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા, મે હજુ કોઈ નિર્ણય કર્યો નથીઃ વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી

Published

on

કુવાડિયા

  • જીત માટે મને સી.આર.પાટિલે શુભેચ્છા આપી છે : જનતા અને કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ : ભાયાણીનો જવાબ : ભાજપ મારો મૂળ પરિવાર છે, પરંતુ કોઈ પણ નિર્ણય વ્યક્તિગત રીતે ન કરી શકું : વિજયભાઈ સાથે મારા પારિવારિક સંબધ છે

આમ આદમી પાર્ટીના વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. એવી પણ વાત હતી કે, કમલમમાં બપોરે 2 વાગ્યે કેસરિયો ધારણ કરશે. શપથ વિધિ પહેલાં ધારાસભ્ય દ્વારા પક્ષપલટાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાયો હતો, જોકે, હાલમાં જ ભૂપત ભાયાણીએ મીડિયા સમક્ષ આવીને આ વાતને નકારી છે. મે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. મારા કાર્યકરો, મારી જનતા જે કહેશે તેમ કરીશ, તેવું મીડિયા સમકક્ષ કહ્યું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે ભાજપ મારો મૂળ પરિવાર પણ છે.

મારે મારા મતવિસ્તારના કામો કરવાનાં છે, ભાજપ પાસે બહુમતી છે. મારે વિચારવું પડે, પરંતુ હું એકલો નિર્ણય ન લઈ શકું. મારે સાથી કાર્યકરો, નેતાઓ, જનતા કહેશે તો જ ભાજપમાં જોડાવવા માટે વિચારી શકું છું. મારે વિજયભાઈ રૂપાણી સાથે પારિવારિક સંબંધ છે. ભુપતભાઇએ એમ પણ કહ્યું કે તેઓ તેમના કામ અર્થે ગાંધીનગર આવ્યા છે. અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે તેમને જીતની શુભેચ્છા પાઠવી છે. વિસાવદરના આપના ધારાસભ્ય જાયન્ટ કિલર સાબિત થયા હતા જ્યારે તેમને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયાને હરાવ્યા હતા.

Exit mobile version