Bhavnagar
ભાવનગરની નારી ચોકડી પર રસ્તો બિસ્માર બની જતા જીતુ વાઘાણી જાણવા સ્થળ પર પહોંચ્યા
કુવાડિયા
અધિકારીઓને સમસ્યાનો હલ કરવા સૂચના આપી, રૂબરૂ સ્થળ વિઝીટ કરી, જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા
ભાવનગર – અમદાવાદ જતા નારી ચોકડી અને અમદાવાદ જવાનો રસ્તો ભારે વરસાદને કારણે વાહન ચાલકોને મુસાફરોને ખુબ મુશ્કેલી પડતી હતી, જેને લઈ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ પર પહોંચી અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ભાવનગર રાજકોટ હાઇવે માલેશ્રી નદીએ ખુબ મોટા ખાડા પડી ગયેલ હોય જે સંદર્ભે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને ધ્યાનમાં આવતા ગઈકાલે કલેકટર સાથે અને નેશનલ હાઇવે ઓથો.ના અધિકારીઓ સાથે વાત કરી તાત્કાલિક રીપેરીંગ કરવા સૂચનાઓ આપી હતી, આજરોજ બપોરે નારી ચોકડી અને માલેશ્રી નદી વરતેજ ખાતે નેશનલ હાઇવેના અધિકારીઓ કોર્પોરેશનના સ્ટે.ચેરમેન ધીરુભાઈ ધામેલિયા અને કાર્યકર્તા સાથે રૂબરૂ સ્થળ જાત નિરીક્ષણ કર્યું હતું.
નારી ચોકડી કામ પણ શરૂ થઇ ગયેલ છે અને પૂરઝડપે પૂરું પણ થશે સખ્તાઈથી આ કામ ઝડપી પૂરું થાય અને લોકોને હાલાકી ન પડે તે માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને વરસાદ ના કારણે પ્લાન્ટ અમુક બંધ હોવાથી નેશનલ હાઇવે ના અધિકારીઓ RNBના અધિકારી સ્ટેટના હાઇવે ના અધિકારીઓને માલેશ્રી નદીના પુલ તેમજ વરતેજ ચોકડી વરતેજ હાઇવે નું કામ ઝડપી પૂરું કરવા સૂચનાઓ આપી હતી, અધિકારીઓ એ પણ ઝડપી કામગીરીની તૈયારી ઓ બતાવેલ છે. ભાવનગર શહેરમાં પણ ભારે વરસાદ ના કારણે રોડ નુકશાન થયેલ છે એટલા માટે મેયર કીર્તિબેન દાણીધારીયા, સ્ટે.ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, કમિશ્નર એમ.વી.ઉપાધ્યાય અને કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે વાત કરી શહેરના રસ્તા ઓ પણ ખુબ ઝડપ રીપેર કરીને રાહેદારીઓ ને પડતી મુશ્કેલી નો પડે તેવી સૂચનાઓ આપી હતી, ખુબ ઝડપથી લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.