Bhavnagar

આવતીકાલે જિલ્લા કોંગ્રેસનું જય ભારત સત્યાગ્રહ સંમેલન યોજાશે ; ભાવનગર મોતીબાગ ટાઉનહોલ ખાતે કાર્યક્રમ

Published

on

બરફવાળા

જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, રામકીશન ઓઝા, અમિત ચાવડા, ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત, મોંઘવારી, બેકારી, મહિલા અત્યાચાર જેવા સ્થાનિક પ્રશ્નો ઉપરાંત રાહુલ ગાંધીને ટારગેટ કરવાની નીતિ ઉજાગર કરાશે, જિલ્લાભરમાંથી આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેશે

વિધાનસભા ચૂંટણીમાં ઈતિહાસની સૌથી કારમી હાર સહન કરનાર કોંગ્રેસ ફરી બેઠી થવા માટે મથી રહી હોય તેમ હવે તાલુકા બાદ જીલ્લાકક્ષાના જય ભારત સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને નિશાન બનાવવાના સરકારી પગલા તથા મોંઘવારી સહિતના અનેકવિધ પ્રશ્નોએ લોકોની વચ્ચે પહોંચવાનો ઉદેશ છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે છેલ્લા દિવસોમાં સત્યાગ્રહ સંમેલનો બાદ કેન્દ્ર સરકારને આપખૂદી તથા વિવિધ નિષ્ફળતાઓ ઉજાગર કરવા જય ભારત સંમેલન શરૂ કરાયા છે.

Jai Bharat Satyagraha convention of District Congress will be held tomorrow; Program at Bhavnagar Motibaug Town Hall
Jai Bharat Satyagraha convention of District Congress will be held tomorrow; Program at Bhavnagar Motibaug Town Hall

ત્યારે આવતીકાલે ભાવમનગર જિલ્લા કોંગ્રેસનું જય ભારત સત્યાગ્રહ સંમેલન ભાવનગર મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાવવા જઈ રહ્યું છે જે કાર્યક્રમમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, રામકીશન ઓઝા, અમિત ચાવડા, ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે અદાણી સહિતના મુદે અવાજ ઉઠાવનારા પાર્ટી નેતા રાહુલ ગાંધીને ટારગેટ કરીને સંસદ સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે.આ સિવાય મોંઘવારી, બેરોજગારી, મહિલા અત્યાચાર ખેડૂતોના પ્રશ્નો વગેરે મુદ્દાઓને આગળ ધરીને જય ભારત સત્યાગ્રહ શરૂ કરાયા છે. કોંગ્રેસ દ્વારા જણાવ્યું છે કે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત મજબૂત સંકેત છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં છે.

Jai Bharat Satyagraha convention of District Congress will be held tomorrow; Program at Bhavnagar Motibaug Town Hall
Jai Bharat Satyagraha convention of District Congress will be held tomorrow; Program at Bhavnagar Motibaug Town Hall
Jai Bharat Satyagraha convention of District Congress will be held tomorrow; Program at Bhavnagar Motibaug Town Hall

વિવિધ પ્લેટફોર્મ પર મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે. જેના કારણે તેમનો અવાજ બંધ કરવા આવા કુટિલ પગલાંનો આશરો લેવાઇ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ આ હરકતની સખત નિંદા કરે છે અને સત્યની આ લડતમાં રાહુલ ગાંધીની પડખે છે. રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને દેશના કરોડો નાગરિકો સત્ય અને ન્યાયની આ લડાઈમાં તેમની સાથે છે. કોંગ્રેસ દ્વારા વિરોધ માટેના અન્ય કાર્યક્રમોનં આયોજન કરી રહી છે અને તેના માટે આગેવાન નેતાઓને જવાબદારી સોંપાઈ છે.

Advertisement

Exit mobile version