Talaja

તળાજાના પીંગળી ગામે ખેડુત દંપતિની હત્યામાં પરિવારજનોની પૂછપરછ

Published

on

રેકી કોણે કરી? જુદી-જુદી દિશામાં ચાલતી પોલીસ તપાસ…..

Pvar
તળાજાના પિંગળી ગામે ઘરની ઓસરી મા સુતેલા જિંદગીની અર્ધી સદી વટાવી ચૂકેલા ખેડૂત દંપતી શિવાભાઈ રાઠોડ અને તેના પત્ની વસંતબેન ની રવીવાર રાત્રીના 12 વાગ્યા બાદ અતિક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી. એ ઘટનાની જાણ આશરે 30 કલાકે થઈ.નાનકડા ગામમા હાહાકાર ફેલાઈ ગયો.પોલીસ,ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ સહિતની ટીમો ગુન્હા નો ભેદ ઉકેલવા માટે કામે લાગી.બે દિવસ થયા છે.હત્યારાનો ભોગ બનેલ દંપતી ના સગા સંબધી પોલીસ વિભાગમાં હોય તેઓએ પણ પરિવાર ને સાંત્વના આપવા સાથે હત્યાનો ભેદ ખોલવા માટે મથામણ હાથ ધરી છે.Interrogation of family members in the murder of a farmer couple in Pingli village of Talaja ઇન્વેસ્ટગેશન અધિકારી એ.આર.વાળા એ જણાવ્યું હતુંકે અનેક એંગલ થી તપાસ હાથ ધરવામાં આવી છે.જોકે હત્યા નું ચોક્કસ કારણ હજુ સામે આવતું નથી. ઝીણવટ ભરી પૂછપરછ આવશ્યક હોય આથી કુટુંબીજનો,ગામના અમુક વ્યક્તિ, આસપાસ ની વાડીઓમાં બહાર થી વસવાટ કરતા વ્યક્તિઓ ની પૂછ પરછ કરવામાં આવી રહી છે. શિવાભાઈ નું જીવન સાદગી ભર્યુ અને ધાર્મિક હોય તેની અને તેના પત્ની જે પ્રકારે 36 થી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી છે.એ જોતાં હત્યારાઓ હત્યા કરવાના ઇરાદેજ દીવાલ ઠેકીને આવ્યા હોવાનું કારણ વધુ દ્રઢ બનતું જાય છે.હત્યારાઓએ ક્રૂરતા સાથે અંજામ આપતા પહેલા રેકી કરી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતુ કે ગુન્હો આચરનાર કોઈ એક સબૂત મુકતા જાય છે.એજ પ્રમાણે હત્યારાઓ એક સબૂત મુકતા ગયા છે. એ દિશા તરફ તપાસ નો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.

સીસીટીવી કેમેરા જરૂરી

હત્યારાઓ કોણ,કેટલા,ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા આવા અનેક સવાલો છે.ત્યારે પોલીસ માટે ભેદ ઉકેલવા માટે ટેકનોલોજી ના યુગમાં સીસીટીવી કેમેરા મહત્વના સાબિત થાય છે.જોકે અહીં સીસીટીવી કેમેરા ભાગ્યેજ ક્યાંક આસપાસ ના ગામડાઓમા જોવા મળ્યા છે.

Exit mobile version