Sihor

સિહોરના ખાંભા સહિતના ગામોમાં ખનીજનું બેફામ ખનન ; કલેકટર સુધી રજુઆત

Published

on

પવાર

તંત્રવાહકોના નીતિનિયમોનું સરાજાહેર ઉલ્લંઘન, મહાકાય ટોરસ અને ડમ્પરમાં ક્ષમતા કરતા પણ વધારે સામાનની બેરોકટોકપણે થઈ રહેલી હેરફેર સામે તંત્રનું મૌન, તંત્રના અધિકારીઓને અનેક રજુઆત છતાં કોઈ કાર્યવાહી નહિ, ઘનશ્યામભાઈ મોરી દ્વારા કલેકટર સુધી રજુઆત, બેફામ બનેલા ખનિજ માફીયાઓ સામે કાર્યવાહી કરવી જરૂરી

સિહોર તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે ત્યારે તેના પર લગામ કસવી જરૂરી છે.તંત્રએ આવા ખનિજ માફીયાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. ખાંભા સહિત ગામોમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યાં છે ત્યારે તેના પર લગામ કસવી ખૂબ જરૂરી છે. રોડ પર નીકળતાં રાહદારીઓ હેરાન પરેશાન થયા રહ્યા છે. રોડ પર નીકળવું એટલે જીવ જોખમમાં મુકીને હાલવુ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાણના, ભડિયાના મહાકાય ટોરસ ડમ્પર, અવર લોડ ગાડીઓ ભરી ભરીને જાણે ડમ્પરમાં નાનો પર્વત ભરીને જતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

indiscriminate-mining-of-minerals-in-villages-including-khambha-in-sihore-submission-to-the-collector

ખાંભા સહિત વિસ્તારોમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા હોય તેઓની ઉપર તત્કાલ નિયંત્રણ મુકવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ ખનીજના ખનનની પ્રક્રિયા અને હેરફેરથી આસપાસના રસ્તાઓ પર પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાંભા સહિતના ગામોમાં લાંબા સમયથી સરાજાહેર બેરોકટોકપણે ખનીજના ખનનની પ્રક્રિયા ધમધમી રહેલ છે. જેના કારણે રોડ પર નિકળતા રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહાકાય ટોરસ, ડમ્પર વગેરે ઓવરલોડ ભરી ભરીને જાણે કે, ડમ્પરમાં પર્વત ભરીને જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્રવાહકોની ઘોર બેદરકારીના કારણે પંથકમાં ખનીજ ખનન ધમધમી રહેલ છે. પંચાયતની મિલકતને વારંવાર નુકશાન પહોંચાડનાર આ લોકોની સામે કડક પગલા ભરવામાં આવે તે અંગે ખાંભાના સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ જી.મોરીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ ઉઠાવી છે.

Advertisement

Exit mobile version