Sihor

સિહોર મેઘવદર સમસ્ત ગામ આયોજિત દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

Published

on

ગૌતમ જાદવ

કથાનું રસપાન કરાવતા મહેશભાઈ પાઠક, શનિવાર એ પોથી યાત્રા નીકળી, મેઘવદર સમસ્ત ગામ બન્યું ગોકુળિયું

સિહોર મેઘવદર સમસ્ત ગામ આયોજિત દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શનિવારથી પ્રારંભ થયો હતો પિતૃઓના મોક્ષાર્થે મેઘવદર ગામ ખાતે તા. ૬ ને શનીવારથી તા.૧ર ને શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

Inauguration of Shrimad Bhagwat Week Jnanayajna organized by Sihore Meghavadar Samast Village
Inauguration of Shrimad Bhagwat Week Jnanayajna organized by Sihore Meghavadar Samast Village
Inauguration of Shrimad Bhagwat Week Jnanayajna organized by Sihore Meghavadar Samast Village

જેમાં શનિવાર એ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો હતો અને દરરોજ સવારે ૯ થી બપોરે ૧ર સુધી અને બપોર ૩-૩૦ થી ૬-૩૦ કલાક સુધી પૂજ્ય શાસ્ત્રીજી મહેશભાઈ પાઠક પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.પ્રથમ દિવસે ભાગવત મહાત્‍મય સમજાવ્‍યુ હતું અને કથા દરમ્‍યાન શ્રીરામ શ્રીકૃષ્‍ણ પ્રાગટય ગોવર્ધન ઉત્‍સવ શ્રી રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે અને પરિક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે. આ કથામાં અનેક સંતો – મહંતો પધારી આશિર્વચન આપશે. મેઘવદર સમસ્ત ગામ ગોકુળિયું બન્યું છે.

Exit mobile version