Sihor

સિહોરની પરમાર શેરીમાં છેલ્લા ત્રણ વારાથી કેટલાક પરિવારોને પૂરતુ પાણી ન મળતા દેકારો

Published

on

પાણી વગરના વલખા

પાણીના વિતરણકાર્યમાં વ્યાપક ધાંધીયા, તંત્રની કાર્ય પધ્ધતિના લીધે શહેરમાં અણઉકેલ પ્રાણપ્રશ્નોની વધી રહેલી હારમાળા, ચોમેર લોકરોષ

સિહોર શહેરમાં વિવિધ અણઉકેલ પ્રાણ પ્રશ્નોની હારમાળા સર્જાઈ રહી હતી. પાલિકા દ્વારા લાંબા સમયથી પાણીના વિતરણકાર્યમાં ધાંધીયા જોવા મળી રહ્યા હતા, કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈન સાથે ગટરની લાઈન ભળી જતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા લોકોમાં આક્રોશ વ્યાપેલ હતા. ઉનાળો બેસવાની સાથે જ પાણી ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેથી રોજ રોજ સ્થાનિક અલગ અલગ વિસ્તારોની મહિલાઓના ટોળાઓ પાલિકાની કચેરીમાં પાણી ફાળવવાની માંગણી કરવા માટે આવી રહ્યા હતા.

In Parmar Street of Sihore, some families are not getting enough water for the last three times

પાણીની મુશ્કેલીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતા દ્વારા પાણી માટે છાજીયા લેવાઈ રહ્યા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર કરાઈ રહ્યા હતા. જેથી હાલ પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુ ને વધુ બગડી રહી છે. ઉનાળાના પ્રારંભથી જ પાણી વિતરણકાર્યમાં ક્ષતિઓ સર્જાઈ રહી હતી. ગરમીના દિવસોમાં પૂરતુ પાણી ન મળતા રહિશોને જીવન જીવવુ દોહ્યલુ બની ગયેલ છે. ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધારે હોય છે ત્યારે પાણી ન મળતા સિહોરવાસીઓ છતે પાણીએ પાણી માટે ટળવળી રહ્યા હતા. કેટલાક રહેણાંકીય વિસ્તારમાં પાણીની લાઈન સાથે ગટરની લાઈન ભળી જતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. પરમાર શેરીમાં છેલ્લા ત્રણ વારાથી કેટલાક પરિવારોને પૂરતુ પાણી ન મળતા રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સમગ્ર વિસ્તારમાં દેકારો બોલ્યો છે.

Advertisement

Exit mobile version