Bhavnagar

ભાવનગરમાં શ્રમિક યુવાન ઉપર તીક્ષણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા

Published

on

દેવરાજ

  • બપોરના સમયે અજાણ્યા ચાર શખ્શો હથિયારના ઉપરાછાપરી ઘા ઝીકી જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા

ભાવનગર શહેરમાં મજૂરી કામ કરતા યુવાનની બપોરે ઘાતકી હત્યા થયા નો બનાવ બનવા પામ્યો છે. હત્યા ના આ બનાવ ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર શહેર ફરતી સડક લક્ષ્મીસોસાયટી ની સામે પ્લોટનં 2349/A માં રહેતા અને મજૂરી કામ કરતા નવીનભાઈ ખોડાભાઈ ખસિયા ઉ.વ.35 ઉપર આજે બપોરના સમયે અજાણ્યા ચાર શકશો તિક્ષ્ણ હથિયાર ના ઘા જીકી જીવલેણ હુમલો કરી નાસી છૂટીયા હતા.

in-bhavnagar-a-young-laborer-was-killed-by-a-sharp-edged-weapon

ગંભીર રીતે ઘવાયેલા નવીનભાઈ ને લોહિયાળ હાલતે 108 ઈમરજન્સી દ્વારા સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં થોડી જ વારમાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.આ બનાવ ની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

Exit mobile version