Gujarat

કોંગ્રેસ કાર્યાલય જઈ જવાબદારી સંભાળી રહ્યો છું, કંઈ ખોટું લાગે તો મારી ટિકા કરી ધ્યાન દોરવાનો પણ અધિકાર – શક્તિસિંહ ગોહિલ

Published

on

કુવાડિયા

શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં ફરી એકવાર મોટી જવાબદારી કોંગ્રેસની ડૂબતી નૈયાને પાર કરાવવા માટેની સંભાળવા જઈ રહ્યા છે ; આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદમાં પહોંચી શક્તિસિંહ ગોહીલ પ્રદેશ પ્રમુખનો વિધીવત કાર્યભાર સંભાળશે એ પહેલા તેમને કેટલીક મહત્વની વાત કરી

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકત થયેલા શકિતસિંહ ગોહીલ ગઈકાલે કાર્યભાર સાંભળ્યો. વાવાઝોડામાં કોઈ જાનખુવારી ન થતાં અને આફત ટળી જતાં પદભારના કાર્યક્રમો યથાવત રાખ્યા છે. કાલે સવારે 10 વાગ્યે ભજન અને પદયાત્રાનો કાર્યક્રમ ગાંધી આશ્રમે યોજાનાર છે. ત્યારબાદ ગાંધી આશ્રમની પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા કરશે. જેમાં રાજ્યભરમાંથી કોંગ્રેસ કાર્યકરો આગેવાનો શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાશે આવતીકાલે ગાંધી આશ્રમ ગાંધીજીના ચરણોમાં નમન કરી, પગપાળા પદભાર સંભાળવા જઈશ. શક્તિસિંહ રાજીવ ગાંધી ભવન ખાતે ચાર્જ સંભાળશે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આપણા ગુજરાત ઉપરથી બહું મોટી આફત ટળી એ વાતનો આનંદ છે. ધારણા હતી કે, અત્યંત વિકરાળ વાવાઝોડું આપણા દરીયાકાંઠા ટકરાશે અને તેના કારણે તારાજીનો કોઈ પાર નહીં રહે.

i-am-going-to-the-congress-office-tomorrow-and-taking-responsibility-if-i-find-anything-wrong-i-have-the-right-to-criticize-and-draw-attention-shaktisinh-gohil

તેવી સ્થિતિ હતી પરંતુ વાવાઝોડાની ગતિ ઘટી બધાની દુવાઓ કામ લાગી ઝડપ ઘટતા વાવાઝોડું ટકરાયું ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ. અમે ત્રણ દિવસથી કચ્છમાં છીએ પરંતુ કચ્છના લોકોએ કોઈ પણ ભેદભાવ વિના કુદરતી આફતમાં માનવતા દાખવી છે તે બિરદાવવા જેવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ જાનહાની ટળી છે ત્યારે આવતીકાલે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીના ચરણોમાં પ્રાર્થના અને નમન કરીને મારી જવાબદારી પ્રદેશ પ્રમુખની સ્વિકારવાનો કાર્યક્રમ શરુ રાખ્યો છે. આવતીકાલ 18 તારીખ રવિવારે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના કરીને પદયાત્રા કરીને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જઈ રહ્યો છું. મને મળેલી આ જવાબદારીથી જે મારા મિત્રો, સહયોગી અને નેતાઓનો સાથ મળ્યો છે અને શુભ સંદેશાઓ મળ્યા છે તેમનો હું આભાર માનું છું. મારી સાથે આવતીકાલની પદયાત્રામાં અનુકૂળતા મુજબ તમે જોડાઈ શકો છો. હું કોઈ પણ જાતના ભેદભાવના વિના ગુજરાતી છું અને ગુજરાતનો છું અને આપ સૌનો છું. હું કાર્યભાળ સંભાળી કામગિરીને આગળ ધપાવી રહ્યો છું. આપનો પ્રેમ, માર્ગદર્શન મળશે જ ત્યારે જો તમને કંઈ ખોટૂં લાગતું હોય ત્યારે ચોક્કસથી મારી ટિકા પણ કરી શકો છો. સાથે મળીને ગૌરવવંતા ગુજરાતમાં કામ કરીશું. એમ તેમણે કહ્યું હતું. આવતીકાલ 18 જૂન, રવિવારે સવારે 10 વાગે, સાબરમતી, ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પહોંચીને ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી એકવાર બંધારણીય અને ન્યાયી શાસનની પુનઃસ્થાપના પરત્વે સમર્પિત થઈએ. તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

Exit mobile version