Sihor
ગરીબો માટે ઘર : ગોપાલક સેવા સમિતિ સિહોર તાલુકાના સાગવાડી ગામે ચોથું ઘર બનાવ્યું ; ખુલ્લું મુકાયું
પવાર
- આજે સંતો મહંતો રાજકીય અગ્રણીઓના હસ્તે હાજરીમાં ગરીબો માટે ચોથું ઘર બનાવી આજે ખુલ્લું મુકાયું, અહીં 200 યુવાનો વ્યસનમુક્ત થયા
ગોપાલક સેવા સમિતિ દ્વારા ખુબ જ સરસ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગોપાલક સેવા સમિતિના સભ્યો દ્વારા જે ગરીબ અને વિધવા બહેનો કે જેમને કમાવનાર વ્યક્તિ ઘરમાં કોઈ ન હોય અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન જીવતા હોય અને ખૂબ જ જરૂરીયાત મંદ માણસ હોય તેવા લોકો માટે ગોપાલક સેવા સમિતિ દ્વારા મકાનો બનાવી આપવામાં આવે છે
તેમાંનું આજે ચોથું મકાન સિહોર તાલુકાના સાગવાડી ગામે ઝુંઝા પરિવાર માટે બનાવાયું છે. આ ઉપરાંત ગોપાલક સેવા સમિતિના સભ્ય દ્વારા અગાઉ પણ પેલું મકાન સાંજણાસર ગામે બીજું મકાન સીદસર ગામે ત્રીજુ મકાન મોખડકા અને ચોથું મકાન આજે સાગવાડી ગામે સિહોર તાલુકાના સાગવાડી ગામે ઝુંઝા પરિવારનું આ મકાનનું બનાવાયું છે, ઘર ખુલ્લું મુકવાના આ શુભ પ્રસંગે મોટી બોરુના પરમ પૂજ્ય મહંત શ્રી નામદેવ ભગત તેમજ માલધારી સમાજના આગેવાન હીરાભાઈ મીર ગામ થાનગઢ સંતોષભાઈ સોહલા ગામ ભાવનગર કમાભાઇ આલગોતર ગામ ભાવનગર તેમજ સમાજના વરિષ્ઠ આગેવાનો સંતો મહંતોએ હાજરી આપી હતી
તેમજ ગોપાલક સેવા સમિતિના સભ્યો સૌ સાથે મળીને આજરોજ ઘર બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અહીં પૂજ્ય નામદેવ ભગત દ્વારા યુવાનોને વ્યસન મુકાવા માટે અંદાજે 200 યુવાનોને પાનમાંવા તમાકુથી વ્યસન મુક્તિ અપાવી હતી