Sihor
સિહોરની ગોપાલલાલ મંદિરમાં ભવ્ય રથયાત્રા મહોત્સવ ઉજવાયો -વૈષ્ણવો દર્શન માટે ઉમટી પડ્યા
પવાર
અધિકમાસ ચાલી રહ્યો છે ત્યારે ઠેરઠેર મંદિરોમાં વિવિધ ભક્તિમય કાર્યક્રમ ચાલી રહ્યા છે. ત્યારે સિહોરની શ્રી ગોપાલલાલ મંદિર ખાતે રથયાત્રા મહા મહોત્સવ પ્રસંગે વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
કંસારા બજાર ખાતે આવેલ શ્રી ગોપાલલાલ મંદિર ખાતે અધિક શ્રાવણ વદ બીજ ને ગુરુવાર ના રોજ શ્રી રથયાત્રા મહા મહોત્સવ યોજાયેલ મૂખ્યાજી મનોજભાઈ જોષી તેમજ શ્રીગોપલલાલ મંદિર વૈષ્ણવ મંડળી દ્વારા ધ્રોળ, કીર્તન સાથે વૈષ્ણવો દ્વારા દર્શનાર્થીઓ એ આ અદભૂત દ્રશ્ય સાથે સાક્ષાત્કાર કર્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને અનેરો લાભ લીધો હતો