Sihor

સિહોરના પૂર્વ પ્રમુખ મહેશ લાલાણીએ વોટર વર્ક્સની લાલીયાવાડી ઉઘાડી પાડી દીધી ; સુપર વાઇઝરને સસ્પેન્ડ કરવાની માંગ

Published

on

પવાર

મહેશ લાલાણીએ સ્થળ વિઝીટ કરી, પાણીનો દેકારો સુપર વાઇઝરના કારણે થયો હોવાનો આરોપ, લાલાણીએ સ્થળ પરથી ફેસબુક પર લાઈવ કરીને ક્ષતિઓ ઉજાગર કરી, સુપર વાઇઝરની બેદરકારીના કારણે પાણી સપ્લાયની મોટરમાં ખામી સર્જાઈ તેવો આરોપ ; વોટર વર્કસના સુપર વાઇઝરની ગંભીર ક્ષતિઓ બહાર આવી, છતે પાણીએ લોકોને પાણી માટે રઝળપાટ, 15/15 દિવસથી પાણી લોકોને વલખા

સિહોર નગરપાલિકા વોટરવર્કસના સ્ટાફની અણઆવડતના કારણે ગંભીર બેદરકારી સામે આવી છે, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલાણી વોટર વર્કસ સ્ટાફની બેદરકારી સામે ગંભીર આરોપ લગાવ્યા છે, અને સુપર વાઇઝરની બેદરકારીના કારણે જ શહેર પાણી માટે વલખા મારતું હોવાનો પણ ફેસબૂક લાઈવના માધ્યમથી આરોપ લગાવ્યો છે સિહોરના લોકોમાં પાણીના મુદ્દે તંત્રવાહકો સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે. રાજકીય ઈચ્છાશકિતના અભાવે સમગ્ર ગુજરાત રાજયમાં એકમાત્ર સિહોર શહેર જ હાલ એવુ છે કે, જયાં દર 15 દિવસ સુધી પણ પાણી આપવામાં આવતુ નથી. નગરપાલિકા દ્વારા સિહોરવાસીઓ પાસેથી આખા વર્ષનો પાણીનો વેરો વધારા સાથે વસુલવામાં આવે છે જયારે શહેરીજનોને નીયમીતપણે પાણી આપવામાં વામણુ સાબીત થઈ રહેલ છે. ઉનાળાની શરૂઆતના તબકકામાં જ આવી પરિસ્થિતી હોય તો આગામી ઉનાળામાં સિહોરવાસીઓની શુ દશા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમજ લોકોમાં તંત્ર અને સત્તાધીશો સામે આક્રોશ બળવત્તર બની રહ્યો છે.

Former President of Sihore Mahesh Lalani cleared water works Laliyawadi; Demand for suspension of super vizier

પાણીની રોજીંદી રામાયણથી ત્રાસી ગયેલા સ્થાનિક રહિશોના ટોળેટોળાઓ દરરોજ પાણી આપોની માંગ સાથે નગરપાલિકા કચેરીમાં આવી રહ્યા છે. જયા ગૃહિણીઓ છાજિયા લઈને બળાપો વ્યકત કરી રહ્યા છે છતાં પણ તંત્રવાહકો દ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી. ઉનાળાની શરૂઆતમાં જ આવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે આવનારા આકરા ઉનાળાના દિવસોમાં શહેરીજનોની હાલત વધારે કફોડી બની જશે તેવુ લાગી રહ્યુ છે, ત્યારે આજે સિહોરના પૂર્વ પ્રમુખ મહેશભાઈ લાલાણીએ વોટર વર્ક્સની લાલીયાવાડી ઉઘાડી પાડી દીધી છે મહેશ લાલાણીએ આજે પાણી સપ્લાયના સ્થળ પર વિઝીટ કરી હતી ત્યાંથી તેઓએ ફેસબુક પર લાઈવ કર્યું હતું અને પાણીનો દેકારો સુપર વાઇઝરના કારણે થયો હોવાનો આરોપ પણ લાલાણીએ લગાવ્યો હતો, લાલાણીએ ફેસબુક પર લાઈવ કરીને ક્ષતિઓ ઉજાગર કરીને સુપર વાઇઝરની બેદરકારીના કારણે પાણી સપ્લાયની મોટરમાં ખામી સર્જાઈ તેવો આરોપ કર્યો હતો તેઓએ કહ્યું હતું કે વોટર વર્કસના સુપર વાઇઝરની અહીં ગંભીર બેદરકારી છે છતે પાણીએ લોકોને પાણી માટે રઝળપાટ થયો છે, 15/15 દિવસથી પાણી લોકોને વલખા મારવા પડે છે આવા કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ તેઓએ કરી હતી

Advertisement

Exit mobile version