Sihor
સિહોર ભગવાનના ઘર સંસ્થા દ્વારા ભોજન અને કિટ વિતરણ કાર્યક્રમ
બ્રિજેશ
સિહોરના ભગવાનનું ધર સંસ્થાના લાભાર્થીઓને ભોજન તેમજ કીટ વિતરણ કાર્યક્રમ સિંહોર સિંધી કેમ્પ માં આવેલ ગુરૂનાનક હોલ માં આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સંસ્થા ના 80 લાભાર્થીઓને કપડાં,ટુવાલ, ચપ્પલ તથ નાસ્તાની કિટ મિષ્ટાન ભોજન જમાડી ને આપવામાં આવેલ. સંસ્થા સાથે આવા સેવાકાર્ય માં વર્ષોથી જોડાયેલા શ્રી હીરાભાઈ જે ભાવનગર સહિત જીલ્લા નાના ગામડા સુધી આવી પ્રવૃત્તિ કરતી સંસ્થા ને અનેક રીતે મદદ કરી વ્યક્તિગત સેવાકાર્ય કરતા રહ્યા છે.તેઓનો સહકાર તથા સહયોગ મળેલ છે.
તેમની સાથે ભાવનગર થી પધારેલ અન્ય દાતાશ્રીઓ મધુભાઈ શાહ,ઈન્દુબા ગોહિલ,મનોજસિહ ગોહિલ,મહિપાલસિહ જોધા, શાંતિભાઈ રાજપુરા રૂબરૂ આજરોજ આવી ને કિટ વિતરણ માં સહભાગી બનેલા. સિહોર સિંધી સમાજ પ્રમુખ શ્રી ગોરધનભાઈ ચાવડા તથા સિંધી સમાજ અગ્રણી,સહ સિહોર ભાજપ ભુતપુર્વ પ્રમુખ શંકરમલ કોકરા,સહ અન્ય સિંધી સમાજ સેવાભાવી યુવકો નો સહકાર મળેલ સમય સર ઉપસ્થિત રહી આ સેવાકાર્ય નાં મિડિયા કવરેજ માટે શંખનાદ ન્યૂઝ ચેનલ તથા સત્યકુજ ના પ્રતિનિધિ ઉપસ્થિત રહી આ સેવાકાર્ય ને લોકો સુધી પહોંચાડવા માં સહભાગી બન્યા હતાં. ભગવાન નું ધર સંસ્થા ના કર્મચારી, સેવાકાર્ય કરતા બહેનો એ પ્રસંગ પર ભોજન પિરસવા સહ કીટ વિતરણ કરવામાં મદદરૂપ બન્યાં હતાં