Sihor

સિહોર સહિત જિલ્લા હોમગાર્ડઝની શ્રી જગન્નાથજી રથયાત્રા સંદર્ભે બેઠક યોજાઇ

Published

on

પવાર

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ભાવનગર ખાતે આગામી તા.20.06.2023 નાં રોજ યોજવા જઈ રહી છે, ત્યારે ભાવનગરની અંદર શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્ર, અને પોલીસ તંત્ર દ્વારા મેરેથોન મીટીંગો નો દોર ચાલુ થયો છે, જેમાં આજરોજ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રીમાન એસપી સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા હોમગાર્ડ ના યુનિટો, ભાવનગર, તળાજા, મહુવા, ખૂટવડા, બગદાણા, જેસર,પાલીતાણા, ગારિયાધાર, સિહોર, ઉમરાળા, વલ્લભીપૂર, ઘોઘા, દાઠા, વરતેજ,સહિતના ઓફિસર કમાન્ડિંગ અને જિલ્લા સ્ટાફ ઓફિસરોની જિલ્લા હોમગાર્ડઝ હેડક્વાટર્સ પાનવાડી ભાવનગર, ખાતે આગોતરા આયોજન માટે મીટિંગ યોજવામાં આવી હતી.

District home guards including Sihore held a meeting regarding Shri Jagannathji Rath Yatra

મીટીંગ ના અધ્યક્ષ એવા શ્રીમાન જિલ્લા કમાન્ડન્ટ શ્રીમાન એસપી સરવૈયા દ્વારા દરેક જવાનો ઓફિસરોને ગણવેશ, ટનઆઉટ, સાથે અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો સમયસર બજાવવા અને ધાર્મિક ઉત્સવ ઉલ્લાસ માં ધર્મપ્રેમી જનતાને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય તે પ્રકારે કાયદો વ્યવસ્થાની જાળવણી જિલ્લા પોલીસ તંત્ર ની સાથે રહી પોતાની ફરજો નિભાવવા જણાવ્યું હતું.આ મિટિંગમાં રથયાત્રા હર્ષ અને ઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ, રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્રની સાથે રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટેની ફરજો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીટિંગની શરૂઆતમા જિલ્લા હોમગાર્ડઝ સ્ટાફ ઓફિસર તાલીમ શ્રી લાલજીભાઈ કોરડીયા દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું, ત્યારબાદ ભાવનગર જિલ્લા હોમગાર્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇન્ચાર્જ શ્રી પ્રહલાદસિંહ ગોહિલ દ્વારા ડિઝાસ્ટર ને લગતી માહિતીઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્ટાફ ઓફિસર શ્રી નીતિનભાઈ ગોહેલ દ્વારા પ્રસંગ અનુરૂપ માગૅદશૅન આપવામાં આવ્યુ હતું..

Exit mobile version