Gujarat
અધિકારીઓ – કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરના આદેશ ; સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ
બરફવાળા
કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ : ઝીરો કેઝયુઆલિટીનો ઉદ્દેશ રાખી કામ કરવા સુચના, કમિશ્નર, એસપી તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ રહ્યા બેઠકમાં હાજર.
અનાજ,પાણી, દવાઓ, ઇંધણ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તે જરૂરી, હોસ્પિટલમાં જરુરી દવાઓ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફ પુરતો રાખવા કરી તાકીદ.
સંભવિત વાવાઝોડા અંગેની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને શનિવાર એ રોજ જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઝીરો કેઝ્યુઆલિટીનો ઉદ્દેશ રાખી કામગીરી સુનિશ્ચિત કરવા કલેક્ચરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.
સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરવી તેમજ આશ્રયસ્થાનોમાં પાણી, વીજળી, સેનિટેશન વગેરે આનુષાંગિક વસ્તુઓ સહિત તમામ પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થા કરવી. જરુરિયાતનાં કિસ્સામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી. તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 24*7 કાર્યરત રહેશે. અનાજ, પાણી, દવાઓ, ઇંધણ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રહેશે. તાકીદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ વગેરે આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાઈ. તેમજ ઝડપથી મેઇનટેનન્સ તથા પુન: સ્થાપન માટે ટીમો તૈયાર રાખવામાં આવશે.પશુઓની સલામતી માટે નજીકની ગૌશાળા/પાંજરાપોળ વગેરે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા.હોસ્પિટલમાં જરુરી દવાઓ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધિ અંગેનું આયોજન કરવું. સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે મહત્વની બાબત છે.


અધિકારીઓને – કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લામાં સાવચેતી અને સલામતીનાં પૂર્વ ઉપાયનાં પગલાં સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા.વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગે નિયત માર્ગદર્શિકા છે તે અનુસરવાની રહે છે. દરેક વિભાગના અધિકારીઓને ઇમરજન્સીના કિસ્સામાં 24×7 ઉપલબ્ધ રહેવા જણાવ્યું હતું. બેઠકમાં મ્યુનિસીપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ સહિત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.