Bhavnagar
સિહોરના અનેક વિસ્તારોમાં જર્જરિત ઈમારત કોઈનો ભોગ લેવાની રાહમાં..! તંત્ર પણ ઉદાસીન
પરેશ દુધરેજીયા
જર્જરિત મકાનો નિર્દોષ લોકોનો ભોગ લેશે પછી જાગશો.?
ભાનવગર જિલ્લા અને સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં ૨૦૦૧માં વિનાશકારી ભુકંપ આવ્યો અનેક મકાનો, લટકતા, ભયજનક બન્યા હતા ત્યારે ૨૨ વર્ષ બાદ પણ આવી અનેક ઈમારતો આજે પણ લોકોની જિંદગી છીનવાય તેની રાહમાં ઉભેલી જોવા મળી રહી છે ત્યારે સિહોર શહેરનાં અનેક વિસ્તારોમાં અસંખ્ય મકાનો અને ઈમારતો ભયજનક બનીને લટકતી હાલતમાં ઉભેલી જોવા મળી રહી છે.
જોઈને જ લોકોના માથે આ મોતના માચડા સમાન ઈમારત કોઈના ભોગની રાહમાં ઉભી છે. અને તંત્રને લોકોના જિંદગીની પરવા રહી નથી. ઈમારત જો ઢળી પડી છે પરતી ઢળીને જયારે નીચી ઢળી પડશે ત્યારે કેટલા માનવોની મહામુલી જિંદગી આ ઈમારતમાં ઢળતાના ઢબુરાઈ જશે જેનો ખ્યાલ સજાગતા આજે આવતી નથી ત્યારે આ ઈમારત ઢળવાની જયારે રાહમાં ઉભેલી રહી છે.
ત્યારે આ જાહેર માર્ગ પણ છે જયાંથી અસંખ્ય વાહનો પસાર થાય છે તો વળી આ માર્ગ ઉપર રાહદારીઓ પણ પસાર થાય છે. ભરચક લતા, ભરચક વિસ્તારોમાં ઈમારતો લટકતી માણસોના મોત માટે જવાબદાર બનેલી રહી છે