Sihor
સિહોરના The birdman of PGVCL તરીકે ઓળખાતા ધવલભાઈ રાજ્યગુરુ
Kuvadiya
- “મળવા જેવા માણસ”
સિહોર પીજીવિસીએલ ટાઉન સબ ડિવિઝન મા વર્ગ ૪ ના કર્મચારી અને આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા “ધ બર્ડમેન ” ઉર્ફે ધવલભાઈ રાજ્યગુરૂ કે જેઓ એ સરકારી કામ અને વીજ શોક થી મરતા હજજારો અબોલ જીવોને બચાવવા માટે પોતાના પગાર માથી અંદાજિત ૩૦ થી ૩૫ હજાર રૂપિયા જેટલી રકમ ખર્ચ કરી નાખીછે અને હજી પણ તેમની અવિરત સેવા ચાલુ છે .છે ને આશ્ચર્ય ની વાત. વીસ વર્ષ ની નોકરી દરમિયાન અનેક પક્ષીઓ ,ખિસકોલીઓ, કાચીડાઓ ને વીજ પોલ પર વીજ શોક લાગવાથી મરતા અને ગંભીર રીતે દાજી જતા અનેક નિર્દોષ જીવોને જોયા છે જેઓ આપણા સુખ,સુવિધા અને સ્વાર્થ ખાતર પોતાનું જીવન દર્દનાક મોત (વીજ શોક) થી ગુમાવતા હોય છે.રોજ હજજારો પક્ષીઓ આવી રીતે મરે છે અને જેના બચ્ચાં ઓ તેના માળા મા તેની માં ની પાછા આવવાની રાહ જોતા હોય છે પણ તમને શું ખબર કે તેમની મા વીજ શોક થી મરી ગઈ છે અને તેનું બળેલું શરીર વીજ પોલ પર લટકી રહ્યું છે.
ઇન્ડસ્ટ્રીયલ,અને અર્બન ,ફીડર મા ઓછા પ્રમાણમાં હોય છે.હવે આ પોર્સોલીન ડીઓ ફયુઝ ની બનાવટ ને કારણે તેના સંપર્ક મા આવતા પક્ષીઓ,અને ખિસકોલીઓ, રોજ હજારો ની સંખ્યા મા મરી રહ્યા છે જે આપ અહી આપેલા ફોટાઓ મા જોઈ શકો છો. ત્યાર બાદ આ ડીઓ ફ્યુઝ ના પ્રોબ્લેમ નુ એક અનોખું સમાધાન શોધ્યું pvc પ્લાસ્ટિક પાઇપ ના ટુકડાઓને વચ્ચે થી કાપી ડીઓ ફયુઝ મા લગાડી કેબલ ટાઈ 16″ થી ફીટ કરીને એક પ્રયોગ કર્યો જે આંશિક સફળ પણ રહ્યો ચોમાસામાં થોડી તકલીફ થતી જેના કારણે લાઈનમાં ત્રીપિંગ આવતા ત્યાર બાદ તેમાં થોડા સુધારા વધારા કરીને પાછા લગાડ્યા અને અત્યારે ખુબજ સારું એવું રિઝલ્ટ મળી રહ્યું છે pvc પાઇપ ના ટુકડાઓ + કેબલ ટાઇ ખુબજ સારા ઈનસ્યુલેટર નુ કામ કરી રહ્યા છે જેના કારણે હવે આ પોર્સોલીન ડીઓ ના સીધા સંપર્ક મા કોઈ પણ પક્ષી કે ખિસકોલી ,આવે તો પણ તે વીજ શોક થી મરતા નથી.જે આપ લોકો અહી આપેલા ફોટા મા જોઈ શકો છો આફ્ટર એન્ડ બીફોર.
આવા મે આશરે ૭૦૦ જેટલા વીજ ટ્રાન્સફોર્મર પર લાગેલા પોરસોલીન ડીઓ ફ્યુજ ને pvc પાઇપ થી ઇનસ્યુલેટેડ કર્યાં.અમારા સિહોર ટાઉન સબ ડિવિઝન મા આવા જેટલા પણ પોર્સોલીન ડીઓ ફયુજ હતા અર્બન ફીડર,ઇન્ડસ્ટ્રીયલ ફીડર ,ખેતીવાડી ફીડર, તે દરેક ને સ્વ ખર્ચે ઇન્સયુલેટેડ કરી વીજ કંપની ને કરોડો રૂપિયા અને ગ્રાહકોના વીજ ઉપકરણો ને પણ ગંભીર નુકસાન થતુ અટકાવ્યું અને સાથો સાથ હજારો લાખો નિર્દોષ જીવોને પણ વીજ શોક થી અકાળે મરતા બચાવી લેવાયા ધવલભાઈ ની એક યુ ટ્યુબ ચેનલ પણ બનાવી છે જેનું નામ છે THE BIRDMAN OF PGVCL dhaval rajyaguru જેમા એમની કામગીરી પણ જોઈ શકો છો. ટેકનિકલ ભાઈઓ જ્યારે લાઈન કામ કરતી વખતે જેટલું આપણી સલામતી ધ્યાન રાખીએ છીએ તેવું જ ધ્યાન વિજપોલ પર અબોલ જીવોનો વિચાર કરી ને કામ કરવામાં આવે ને તો આપણે સૌ સાથે મળીને હજારો લાખ્ખો નિર્દોષ જીવોને અકાળે મરતા ,તેમના માળા વિખાતા બચાવી શકીએ.