Bhavnagar

ભાવનગર યુનિ.માં એનરોલમેન્ટ ફી અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોના કોર્સની ફીના વધારાનો નિર્ણય પાછો ખેંચવા માંગ

Published

on

કુવાડિયા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હાલમાં ભાવનગર યુનિવર્સિટીમાં થયેલ એનરોલમેન્ટ ફી વધારા તેમજ સેલ્ફ ફાયનાન્સ કોલેજો ના કોર્સ ની 20% ફી વધારા અંગે નો નિર્ણય ખુબ જ નિંદનીય છે. આ નિર્ણય થી સામાન્ય મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ ખુબ જ વધી રહ્યું છે તેવી વિદ્યાર્થીઓ તરફ થી અનેક રજૂઆતો વિદ્યાર્થી પરિષદ સુધી પહોંચી છે.

Demand for withdrawal of decision on increase in enrollment fee and course fees of Self Finance Colleges in Bhavnagar University

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની માંગણી છે કે આ ફી વધારો તાત્કાલિક અસર થી પરત ખેંચવામાં આવે. અને વિશ્ર્વવિદ્યાલય તંત્ર જો આ નિર્ણય ત્વરિત નહી લે અને વિદ્યાર્થીઓ ને અન્યાય થશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી વિશ્ર્વવિદ્યાલય તંત્ર ની રહેશે.આગામી સમય માં યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગણી વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ કરી હતી.

Exit mobile version