Astrology

દશામાનું વ્રત : બજારમાં માતાજીની ચુંદડી, મૂર્તિ તથા પૂજાપાની ખરીદી

Published

on

Devraj

જયોતિષીઓના મતે બીજા શ્રાવણમાં વ્રત કરવું ઉચિત

તા.17મીના આજે દિવાસો છે. હરિયાળી અમાસ, સોમવતી અમાસ છે તેમજ એવરત જીવરતનું વ્રત પરિણીત મહિલાઓ કરશે તેમજ રાત્રી જાગરણ કરશે. બીજા દિવસથી પુરુષોતમ (અધિક શ્રાવણ) માસનો પ્રારંભ થશે. અધિક માસમાં શુભકાર્યો થતા નથી.

Dashama Vrat: Buying mother's chunddi, idol and poojapa in the market

દર વર્ષે દિવાસોથી મા દશામા વ્રતનો પ્રારંભ થાય છે પરંતુ આ વખતે અધિક શ્રાવણ માસ હોવાથી દશામાનું વ્રત તા.16મી ઓગષ્ટના બુધવારથી શરૂ થશે બજારોમાં દશામા માતાજીની મૂર્તિ, ચુંદડી તથા પુજાપાની ખરીદી બહેનો કરી રહ્યાં છે. પરંતુ શાસ્ત્રોકત રીતે અધિક માસમાં દશામાનું વ્રત ન કરી શકાય. દશામાનું વ્રત બીજા શ્રાવણમાં કરવું ઉચિત છે.

Advertisement

Exit mobile version