Sihor
સિહોરમાં 74માં ગણતંત્ર દિવસની વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે ઉજવણી – ધ્વજવંદન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
Pvar
સમગ્ર દેશમાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સિહોર શહેરમાં સરકારી કચેરીથી લઈને રાજયકીય પક્ષ દ્વારા પ્રજાસતાક દિવસ ઉજવણી કરવામાં આવી હતી, શાળા-કોલેજો તેમજ સરકારી કચેરી ખાતે દેશ ભક્તિના રંગમાં રંગાઈને ઉજવણી કરવામાં આવી હતી.



સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ સિહોર ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી. શાળાનાં ટ્રસ્ટીશ્રી હેમેન્દ્રભાઇ મહેતાનાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માસ પી.ટી., દેશભક્તિગીત, નાટક, યોગા, નૃત્ય જેવી અનેક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.



તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેશભક્તિ અને વસંતપંચમીને લગતું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી,સંચાલકશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્યો અપાયા હતાં. તથા છેલ્લે ઈનામ વિતરણ, મોં મીઠું કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.